Aug 23, 2026

ભાગવત રહસ્ય-૨૩૪-Bhgavat Rahasya-234

અયોધ્યાના લોકોને રામના રાજ્યાભિષેકની ખબર પડી છે,બધાને અતિ આનંદ થયો છે,
પણ દેવોને દુઃખ થયું છે.તેનું એક કારણ હતું-તેઓ ને થયું કે- 
જો રામ રાજગાદીએ વિરાજશે તો રાવણને કોણ મારશે ? દેવોએ વિઘ્નેશ્વરી દેવીનુ 
 આહવાન કર્યું છે. દેવીને કહ્યું-કે-અયોધ્યા જઈ તું રાજ્યાભિષેકમાં વિઘ્ન કર.
રામજીને સુખ-દુઃખ થવાનું નથી.તે તો આનંદરૂપ છે.દશરથરાજાને સદગતિ મળવાની છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Aug 22, 2026

ભાગવત રહસ્ય-૨૩૩-Bhgavat Rahasya-233

સીતાજી,સાક્ષાત મહાલક્ષ્મી-લગ્ન પછી જનકપુરી છોડીને રામજીની જોડે- જાય છે.
અયોધ્યામાં ચારે ભાઈઓ લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે-કૌશલ્યા માએ ચારેને વધાવ્યા છે.
અયોધ્યા પાછા આવ્યા પછી,દશરથરાજાએ રાણીઓની રૂબરૂમાં જનકરાજાના બહુ 
વખાણ કર્યા.સીતાજી તે સાંભળે છે.કન્યાના માતપિતાના વખાણ કરો તો કન્યા રાજી થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1201

 

શ્રીનારાયણ બોલ્યા-હે આદિદેવ,આ ત્રિભુવનનું રક્ષણ કરનારા સર્વ પ્રજાપતિઓ આપનાથી જ ઉત્પન્ન થાય છે.હે વરેણ્ય,હે દેવ,તે પ્રજાપતિઓ આ પૃથ્વીમાં પ્રવેશ કરીને આપની પુરાણી સૃષ્ટિનું રક્ષણ કરી રહ્યા છે.વળી,દેવો,અસુરો,સર્પો,રાક્ષસો,

પિશાચો,મનુષ્યો,ગરુડો,યક્ષો અને અનેક જાતના સર્વ ભૂતગણો આપનાથી જ ઉત્પન્ન થયા છે તે અમે જાણીએ છીએ.ઇન્દ્ર,વરુણ,કુબેર,પિતૃ,વિશ્વકર્મા ને ચંદ્ર દેવતાઓ સંબંધી જે જે કર્મ કરાવવામાં આવે છે તે બધું આપના માટે જ કરવામાં આવે છે.રૂપ,તેજ,શબ્દ,આકાશ,વાયુ,સ્પર્શ,રસ,જળ,ગંધ,પૃથ્વી,કાળ,બ્રહ્મા,વેદો,યજ્ઞો,બ્રાહ્મણો ને જે સ્થાવર જંગમ ભૂતવર્ગ છે તે બધો આપનાથી ઉત્પન્ન થયો છે ને અંતે આપનામાં જ વિલિન થાય છે.જે પુરુષ ભૂતો સંબંધી આવું તાત્વિક જ્ઞાન ધરાવે છે તે આપના સાયુજ્યને પામે છે.હૃદયાકાશમાં રહેનારા શુદ્ધ,અશુદ્ધ,સત્વગુણ પ્રધાન,માયા તથા અવિદ્યા નામની મૂળ પ્રકૃતિમાં 'ચિત્તપ્રતિબિંબભૂત અને અવર્ણયુક્ત' એવા 'ઈશ્વર તથા જીવસંજ્ઞક' બે માનસ પક્ષીઓ મનની અંદર જ 'શારતા અને શાસ્ય' ભાવથી સ્પષ્ટ જણાય છે અને પક્ષીની જેમ ઉપાધિના સંબંધ વાળા છે.

Aug 21, 2026

ભાગવત રહસ્ય-૨૩૨-Bhgavat Rahasya-232

સીતાજીએ વરમાળા પહેરાવવા હાથ ઉંચા કર્યા છે-પણ રામજી માથું નીચું કરતા નથી.
વિશ્વામિત્ર દોડતા ત્યાં આવ્યા છે-રામજી કહે છે-કે લગ્ન થાય એવી મારી ઈચ્છા છે-
પણ માતપિતાની આજ્ઞા વગર મારાથી લગ્ન ન થાય.
વિશ્વામિત્ર:-મને કૌશલ્યા માએ કહ્યું છે-કે –મારા રામજીના લગ્ન થાય.
રામજી--પણ આ કન્યા સાથે લગ્ન થાય તેવી ક્યાં આજ્ઞા છે ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1200

 

વ્યાસજી બોલ્યા-તેં આશ્ચર્ય થઈને જે પ્રશ્ન પૂછ્યો છે તેનો ઉત્તર તું સાંભળ.જે આપણા પૂર્વજોના પણ પૂર્વજ ભગવાન નારાયણ છે,તે જ આદિદેવ,જગન્નાથ,લોકકર્તા અને પોતે જ બધું જ કરવામાં સમર્થ છે.તે આ સંપૂર્ણ જગતના આદિકારણ અને પોતે આદિ-અંતથી રહિત છે.પોતાની મર્યાદાથી કદી પણ ચ્યુત ન થવાને કારણે તે 'અચ્યુત' કહેવાય છે.શ્રુતિઓ અને મહર્ષિઓ તેમના જ તત્વની વિવેચન કરે છે.તે જગદીશ્વરને સમસ્ત પ્રાણી મનથી પણ જીતવાને અસમર્થ છે.તે વિશ્વવિધાતા ભગવાન એક વખતે કોઈ વિશેષ કાર્યને માટે ધર્મના પુત્રરૂપે અવતીર્ણ થયા હતા.તેમણે હિમાલય પર્વત પર રહીને પોતાની બે ભુજાઓ ઊંચે ઉઠાવી રાખીને કઠોર તપસ્યા કરી હતી.તે કમલનયન શ્રીહરિએ છાસઠ હજાર વર્ષો સુધી કેવળ વાયુ પીને પોતાના શરીરને સુકાવ્યું.ને પછી તેનાથી પણ બે ગણા કાળ સુધી તપસ્યા કરીને પોતાના તેજથી પૃથ્વી ને આકાશને ભરી દીધું.(60)