Sep 1, 2026

ભાગવત રહસ્ય-૨૪૩-Bhgavat Rahasya-243

દશરથના મરણના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. સર્વ લોકોને વિલાપ 
કરતાં જોઈ વશિષ્ઠ ઉપદેશ આપે છે.કહે છે-કે-દશરથજીનું મરણ મંગલમય હતું. 
જેનું મન મરતી વખતે પ્રભુ ચરણમાં હોય તેનું મરણ મંગલમય બની જાય છે.
રાજાના મુખ માં મરણ વખતે “રામ”નું નામ હતું. એટલે તેમનું મરણ મંગલમય છે,
અને તેથી આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1208

 

અધ્યાય-૪-ધૃતરાષ્ટ્રનો વિલાપ 


 II वैशंपायन उवाच II एतच्छ्रुवा महाराज धृतराष्ट्रोम्बिकासुत:I शोकस्यांतमपश्यन् हतं मेने सुयोधनम्  II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળી અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રના શોકનો તો પાર જ રહ્યો નહિ.તેણે દુર્યોધનને હવે મૂએલો જ માની લીધો.ને વિહવળ થઈને ઘરની પર ઢળી પડ્યો.ત્યારે ત્યાં અંતઃપુરની સ્ત્રીઓમાં મહાન આર્તનાદ થઇ રહ્યો.ત્યાં ધૃતરાષ્ટ્ર પાસે રાણી ગાંધારી આવી ને તે પણ બેભાન થઈને પૃથ્વી પર પછડાઈ.તેની પાછળ રાણીવાસની બીજી સર્વ રાણીઓ અને પણ ભોંય પર ઢળી પડી.ત્યારે સંજયે તે સર્વ સ્ત્રીઓને ધીરજ આપી.માંડમાંડ શાંત થયેલી તે સ્ત્રીઓ થરથર ધ્રૂજતી હતી.

Aug 31, 2026

ભાગવત રહસ્ય-૨૪૨-Bhgavat Rahasya-242

રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે.અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.
રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકોને ખબર પડી છે. 
લોકો દોડતા રામ- સીતાના દર્શન કરવા આવ્યા છે.રામજીના દર્શનથી તેઓનું પાપ છૂટી ગયું,
સ્વભાવ બદલાયો,જીવન સુધરી ગયું. રામજીની નજરમાં એવો જાદુ છે-કે-
ભીલ લોકોનું મદિરાપાન અને માંસાહાર છૂટી ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1207

અધ્યાય-૩-સંક્ષેપમાં કર્ણવધ કથન 


 II संजय उवाच II हते द्रोणे महेष्वासे तव पुत्रा महारथाः I वभुवरस्वस्थमुखा विषण्णा गतचेतसः II १ II

સંજય બોલ્યો-જયારે મહાધનુર્ધર દ્રોણાચાર્ય મરાયા,ત્યારે તમારા મહારથી પુત્રો દીનમુખા,ખિન્ન અને બેભાન જેવા થઇ ગયા.સર્વ શસ્ત્રધારીઓ મુખને નીચું નમાવી જોઈ રહ્યા હતા અને શોકથી આતુર થઇ ગયા હતા,તેઓ પરસ્પર વાતચીત પણ કરી શકતા નહોતા.તે બધાને ગભરાટમાં પડી ગયેલા જોઈને તમારાં સૈન્યો દુઃખથી ત્રાસ પામીને ઊંચે આકાશ તરફ જ દ્રષ્ટિ કરવા લાગ્યાં.(અર્થાંત તેઓ બધા માનવા લાગ્યા કે હવે તો આપણે પણ ઉર્ધ્વગમન કરવાનું જ રહ્યું છે) તેમના હાથમાંથી શસ્ત્રો આપોઆપ નીચે પડી જવા લાગ્યાં.આમ સ્તબ્ધ થયેલા સૈન્યને જોઈને દુર્યોધન તેમને કહેવા લાગ્યો કે-

Aug 30, 2026

ભાગવત રહસ્ય-૨૪૧-Bhgavat Rahasya-241

વાલ્મીકિ રામજીને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,
હું કુસંગથી બગડેલો,લૂંટફાટનો ધંધો કરતો.અનેક જીવોની હિંસા કરતો,પણ નારદજીના 
સત્સંગથી મારું જીવન સુધર્યું.એક વખત સપ્તર્ષિઓ વનમાંથી જતા હતા,મારી નજર પડી 
અને મેં મારા સેવકોને આજ્ઞા કરી કે-પકડો તેમને અને લુંટો તેમને.
સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.