જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ?
વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?
More then 14-Million Views
II संजय उवाच II ततः स कृदनं चक्रे रिपूणां द्रोननन्दनः I युगान्ते सर्वभूतानां कालसृष्टा इवांतकः II १ II
સંજય બોલ્યો-પછી,કાળથી સરજાયેલો યમ,જેમ,પ્રલયકાળે સર્વ ભૂતોનો સંહાર કરે તેમ,દ્રોણપુત્ર અશ્વત્થામા શત્રુઓનો સંહાર કરવા લાગ્યો,ને અનેક બાણો મૂકીને શત્રુઓને મારીમારીને મડદાંનો મોટો પહાડ ખડો કરી મુક્યો.તે વખતે અશ્વત્થામાએ જોશથી મોટી ગર્જના કરીને પોતાની પ્રતિજ્ઞાનું તમારા પુત્રને શ્રવણ કરાવ્યું.'આ ધર્મનો ડોળ ધરી રહેલા યુધિષ્ઠિર સમક્ષ જ હું તેમની સર્વ સેનાને ભગાડી દઈશ ને ધૃષ્ટદ્યુમ્નને તો જરૂર મારી નાખીશ.આ મારી સત્ય પ્રતિજ્ઞા છે માટે આપણી સેનાને પછી વાળ' એ સાંભળીને દુર્યોધને મોટો સ્નાદ કરીને સર્વ સેનાને યુદ્ધમાં પાછી વાળી.અશ્વત્થામાની આગેવાની હેઠળ તે બંને સેના વચ્ચે મહાયુદ્ધ થઇ રહ્યું.
II धृतराष्ट्र उवाच II सांगा वेदा यथान्यायं येनाधीता महात्मना I यस्मिन्न साक्षाद्वनुर्वेदो ह्विनिषेवे प्रतिष्ठित:II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ મહાત્માએ અંગો સહીત વેદોનો અભ્યાસ કર્યો હતો,સાક્ષાત ધનુર્વેદે જે વિનયશીલ આચાર્યનો આશ્રય કર્યો હતો અને જેમની કૃપાથી જ આ નરસિંહો આ રણમાં દેવોથી પણ ન બની શકે તેવાં અમાનુષ કર્મો કરી રહયા છે,તેવા આચાર્યનો ધૃષ્ટદ્યુમ્ને ઘાત કર્યો છે ત્યારે કોઈ ક્ષત્રિયે ક્રોધ જ ન કર્યો? ધિક્કાર છે તેમને ! હે સંજય,તે સમયે ધૃષ્ટદ્યુમ્નનાં વચનો સાંભળીને બીજા સર્વ રાજાઓ ને ધનુર્ધરોએ,તેને શું કહ્યું હતું તે મને કહે'