અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.
SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 17, 2026
ભાગવત રહસ્ય-૯૫-Bhgavat Rahasya-95
અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1077
અધ્યાય-૭૭-શ્રીકૃષ્ણે કરેલું સુભદ્રાને આશ્વાસન
II संजय उवाच II ता निशा दुःखशोकार्तौ निःश्वसंतावियोरगौ I निन्द्रा नैवोपलेभाते वासुदेवधनंजयौ II १ II
સંજય બોલ્યો-દુઃખ અને શોકથી પીડાતા તથા સર્પની જેમ મોટા નિશ્વાસ મુકતા શ્રીકૃષ્ણ તથા અર્જુનને તે રાત્રે નિંદ્રા આવી જ નહિ.નરનારાયણને એ પ્રમાણે ક્રોધાયમાન થયેલા જાણીને ઇન્દ્ર સહિત દેવો પણ ગભરાઈ ગયા ને વિચારમાં પડી ગયા કે-'હવે શું થશે?' તે સમયે અતિદારુણ,કર્કશ અને ઘોર ઉત્પાતને સુચવનારા વાયરા વાવા લાગ્યા અને કડાકાઓની સાથે વીજળીના ઝબકારા સાથે શુષ્ક વજ્રપાતો થવા લાગ્યા,ને પર્વતો ને વનો સહીત પૃથ્વી કંપવા લાગી.જોતાં,રૂવાં ઊભા થઇ જાય તેવા તે દારુણ ઉત્પાતોને જોઈને તેમ જ મહાબળવાન અર્જુનની પ્રતિજ્ઞાને સાંભળીને સૈનિકો બેબાકળા થઇ ગયા.
Mar 16, 2026
ભાગવત રહસ્ય-૯૪-Bhgavat Rahasya-94
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1076
અધ્યાય-૭૬-શ્રીકૃષ્ણ પ્રત્યે અર્જુનનાં વચનો
II अर्जुन उवाच II षडरथान्धातरराष्ट्रस्य मन्यसे यान्बलाधिकान I तेषां वीर्य ममार्धेन न तुल्यमिति मे मतिः II १ II
અર્જુન બોલ્યો-હે શ્રીકૃષ્ણ,તમે એ દુર્યોધનના છ મહારથીઓને અધિક બળવાન માનો છો,પણ તે બધાનું પરાક્રમ મારા અર્ધા પરાક્રમ જેટલું છે એમ હું નિશ્ચય માનું છું.જયદ્રથનો વધ કરવા ઇચ્છીને હું આવતી કાલે સર્વનાં અસ્ત્રોને મારાં અસ્ત્રોથી કેવો નાશ કરું છું-તે તમે જોશો.અરે,દ્રોણાચાર્ય જોતા રહેશે ને હું સિંધુરાજના મસ્તકને પૃથ્વી પર પાડી દઈશ.હે મધુસુદન,
ધારો કે,સાધ્યો,વસુઓ,રુદ્રો,દેવો,ગંધર્વો આદિ સહીત કોઈ પણ સ્થાવર જંગમ પ્રાણીઓ સિંધુરાજનું જો રક્ષણ કરશે તો પણ હું બાણો વડે તે સર્વનો નાશ કરીશ તે તમે જોશો,આ હું સત્યના ને મારા આયુધના સોગંધ ખાઈને કહું છું.
Mar 15, 2026
ભાગવત રહસ્ય-૯૩-Bhgavat Rahasya-93
સાધુ મહાત્માઓને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.




