Jun 28, 2026

ભાગવત રહસ્ય-૧૮૧-Bhgavat Rahasya-181

ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની આજ્ઞા કરી છે.ગૃહસ્થે બાર મહિનામાં એક માસ એકાંતમાં નારાયણની સાધના કરવી.ગંગાકિનારે કે ઘરમાં લૌકિક વાતો છોડી નારાયણનું ધ્યાન કરવું જોઈએ.ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે.
માર્કંડેય પુરાણમાં એક કથા છે.રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા.એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1162

 

અધ્યાય-૧૬૪-સંકુલ યુદ્ધ 


 II संजय उवाच II प्रकाशिते तदलोके रजसा तमसा वृते I समाजग्मुरथो वीराः परस्परवधैषिण II १ II

 સંજય બોલ્યો-સર્વ સ્થળે દીવા પ્રગટાવ્યા,એટલે તુરત અંધકાર અને રજથી છવાઈ ગયેલા એ રણમાં પ્રકાશ પ્રકાશ થઇ રહ્યો.પછી,પરસ્પરનો વધ કરવા ઇચ્છતા સર્વ યોદ્ધાઓ યુદ્ધ માટે સામસામે ધસ્યા.ત્યારે,એ ઘોર રાત્રિના આરંભમાં તમારા પુત્રની આજ્ઞાથી વીર યોદ્ધાઓ સામસામે જુદાં જુદાં યુદ્ધ કરવા મચી પડ્યા હતા.હાથીસવારો હાથીસવારોની સામે,ઘોડેસ્વારો ઘોડેસ્વારોની સામે ને રથી યોદ્ધાઓ રથી યોદ્ધાઓ સામે લડવા લાગ્યા ને જોતજોતામાં તો ત્યાં તે ચતુરંગી સૈન્યનો મહાસંહાર થવા લાગ્યો હતો.સર્વ રાજાઓનો સંહાર કરીને અર્જુન કૌરવોની સેનાને છિન્નભિન્ન કરવા મંડી પડ્યો હતો.

Jun 27, 2026

ભાગવત રહસ્ય-૧૮૦-Bhgavat Rahasya-180

આત્મા –અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે. વેદોની વાણી ગૂઢ હોય છે.
કોઈ અધિકારી પાસેથી તેનો સાચો અર્થ સમજવો જોઈએ.
એક ઉદાહરણ છે.એક શેઠે પોતાના ચોપડામાં લખી રાખેલું કે ગંગા-યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે.છોકરાઓને એક વખત પૈસાની તાણ પડી.ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે છે-પણ કંઈ સમજણ પડતી નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1161

 

અધ્યાય-૧૬૩-રાત્રિયુદ્ધ ચાલુ-દીવા પ્રગટાવ્યા 


II संजय उवाच II वर्तमाने तथा युद्धे घोररूपे भयावहे I तमसा संघृते लोके रजसा च महीपते II १ II

સંજય બોલ્યો-હે મહીપતે,જયારે ભયકારી અને ઘોર સ્વરૂપનું એ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સર્વ લોક અંધકાર અને રજથી ઢંકાઈ ગયો હતો.રણમાં પરસ્પર ગોઠવાયેલા યોદ્ધાઓ એકબીજાને જોઈ શકતા નહોતા,કેવળ અનુમાન અને નામોચ્ચારણ આદિ સંજ્ઞાઓને આધારે જ એ મહાન યુદ્ધ વૃદ્ધિ પામ્યે જતું હતું.અનેક મનુષ્યો,હાથીઓ અને ઘોડાઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ તરફથી દ્રોણાચાર્ય,કર્ણ અને કૃપાચાર્ય ને પેલી તરફથી ભીમ,ધૃષ્ટદ્યુમ્ન ને સાત્યકિ અન્યોન્યના સૈન્યને ખળભળાવી રહ્યા હતા,ને ચોતરફથી સૈન્યનો વિનાશ કરી રહ્યા હતા.અંધારા પ્રદેશમાં સૈનિકો નાસભાગ કરતા હતા અને લગભગ બેભાન જેવા થઇ ગયા હતા.નાસતા નાસતા પણ તેઓ સંગ્રામમાં માર્યા જતા હતા.

Jun 26, 2026

ભાગવત રહસ્ય-૧૭૯-Bhgavat Rahasya-179

હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરુ થાય છે. 
૧૧ અધ્યાયથી ૧૫ અધ્યાય સુધી મિશ્ર વાસનાનું વર્ણન છે.
--મનુષ્યની મિશ્ર વાસના છે.-હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ –તે મિશ્ર વાસના.--સંત ની સદવાસના છે-જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું-તે સદવાસના.--રાક્ષસોની અસદવાસના છે-કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો-તે અસદવાસના.