ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે.
SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 1, 2026
ભાગવત રહસ્ય-૧૦૯-Bhgavat Rahasya-109
ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1091
અધ્યાય-૯૫-તીવ્ર ઘમસાણ
II संजय उवाच II प्रविष्टयोर्महाराज पार्थवाष्णेययो रणे I दुर्योधने प्रयाते च पृष्ठतः पुरुपर्पमे II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,પેલી તરફ જયારે અર્જુન રણમાં આવ્યો ને દુર્યોધન તેની સામે ગયો,ત્યારે પાંડવો સોમક યોદ્ધાઓની સાથે મોટા મોટા શબ્દો કરીને દ્રોણાચાર્ય સામે વેગપૂરક ધસી ગયા.વ્યુહના મોખરામાં જ તેમનું તુમુલ યુદ્ધ શરુ થયું,કે જે જોનારને રોમાંચ કરે તેવું ને આશ્ચર્યકારક હતું.તેવું યુદ્ધ મેં કદી જોયું નથી કે સાંભળ્યું નથી.બરાબર મધ્યાહ્નન કાળે તે યુદ્ધ શરુ થયું હતું.ત્યાં ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંડવો દ્રોણાચાર્યના સૈન્યને બાણોથી ઢાંકી દેતા હતા ને સામે દ્રોણાચાર્યને આગળ કરીને કૌરવો પાંડવો પર બાણોનો વરસાદ વરસાવતા હતા ને તેમના સૈન્યને આગળ વધતું રોકી રહ્યા હતા.
Mar 31, 2026
ભાગવત રહસ્ય-૧૦૮-Bhgavat Rahasya-108
જેને જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1090
અધ્યાય-૯૪-દુર્યોધનને કવચબંધન
II संजय उवाच II ततः प्रविष्टे कौन्तेये सिन्धुराजजिघांसया I द्रोणानीकं विनिर्भिद्य भोजानिकं च दुस्तरम् II १ II
સંજય બોલ્યો-પછી,કુંતાપુત્ર અર્જુન સિંધુરાજનો વધ કરવાની ઈચ્છાથી દ્રોણાચાર્યના દુસ્તર સૈન્યને અને કૃતવર્માની સેનાને તોડીને શત્રુસૈન્યમાં દાખલ થયો.તેણે સુદક્ષિણ અને શ્રુતાયુધને રણમાં રોળી નાખ્યા ત્યારે છિન્નભિન્ન થયેલાં સૈન્યો ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યાં.તે વખતે તમારો પુત્ર દુર્યોધન પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને પોતે એકલો દ્રોણાચાર્ય પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે-'હે આચાર્ય,આ અર્જુન મહાસેનાનો નાશ કરીને અંદર આવી પહોંચ્યો છે તો તેનો નાશ કરવા માટે શું કરવું જોઈએ તેનો તમે બુદ્ધિપૂર્વક વિચાર કરો ને એવો ઘાટ ઘડો કે જયદ્રથ યુદ્ધમાં માર્યો ન જાય.





