Mar 15, 2026

ભાગવત રહસ્ય-૯૩-Bhgavat Rahasya-93

જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠાનો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-ને અતિસાવધ રહેવાથી કામને 
જીતી શકાય છે.પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી –કેટલાક મહાત્માઓને-માયા-એ- કીર્તિમાં ફસાવે છે.
સાધુ મહાત્માઓને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1075

 

અધ્યાય-૭૫-શ્રીકૃષ્ણ વચન 


 II संजय उवाच II प्रतिज्ञाते तु पार्थेन सिन्धुराजवदे तदा I वासुदेवो महाबहुर्धनंजयभाषत II १ II

સંજય બોલ્યો-જે સમયે અર્જુને સિંધુરાજ જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી,તે સમયે મહાબાહુ વાસુદેવ અર્જુનને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,તેં તારા ભાઈઓની સંમતિ લીધા વિના એકદમ જ પ્રતિજ્ઞા કરી નાખી લે-'સિંધુરાજ જયદ્રથનો હું વધ કરીશ' પણ તે આ એક મોટું સાહસ કર્યું છે.તેં મારી સાથે પણ વિચાર વિમર્શ કર્યો નથી અને ને આ મોટો ભાર ઉપાડી લીધો છે.મેં દુર્યોધનની છાવણીમાં આપણા દૂતોને મોકલ્યા હતા તેમણે સત્વર આવીને આ પ્રમાણે ખબર આપી છે.

Mar 14, 2026

ભાગવત રહસ્ય-૯૨-Bhgavat Rahasya-92

દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્રનું 
તેજ ઘટવા લાગ્યું.દેવો ગભરાયા. દેવોને શંકા ગઈ-કે આ દિતિના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ? 
દેવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભમાં વિરાજેલા –એ છે કોણ ? 
બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1074

 

અધ્યાય-૭૪-જયદ્રથની વ્યાકુળતા અને સ્વાર્થી દુર્યોધન 


 II संजय उवाच II श्रुत्वा तु तं महाशब्दं पांडुनां जयगृद्विनाम I चारै प्रवदिते तत्र समुत्यान् जयद्रथ: II १ II

સંજય બોલ્યો-વિજયની લાલસાવાળા એ પાંડવોના મહાન શબ્દ સાંભળીને તથા ગુપ્તચરોએ જણાવેલી અર્જુનની પ્રતિજ્ઞાની વાત જાણીને જયદ્રથનું હૃદય શોકથી મૂઢ થઇ ગયું.દુઃખથી વ્યાપ્ત થઈને તે ઉભો થઇ ગયો ને ઘણો વિચાર કર્યા પછી,તે રાજાઓની સભામાં ગયો અને ત્યાં જઈને તેમની આગળ,અર્જુનના ભયથી બેબાકળો થઈને લજ્જાભેર સર્વને કહેવા લાગ્યો કે-

'પાંડુરાજાની સ્ત્રી કુંતા વિષે કામી થયેલા ઇન્દ્રે,જે દુર્બુધ્ધિ અર્જુનને ઉત્પન્ન કર્યો છે તે મને એકલાને યમરાજને ઘેર મોકલી દેવા ધારે છે,હું તો જીવવાની ઈચ્છાથી મારે ઘેર ચાલ્યો જઈશ અથવા તમે બધા તમારા અસ્ત્રના બળથી મારુ રક્ષણ કરો.

Mar 13, 2026

ભાગવત રહસ્ય-૯૧-Bhgavat Rahasya-91

કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિનાં 
ધર્મપત્ની છે.એક વખત –સાયંકાળે-શણગાર સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.
કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો.
મનુષ્ય હૈયામાં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. 
પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયામાં અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.