દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.આ અવસર સારો છે-એમ જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો.હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.
SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 18, 2026
ભાગવત રહસ્ય-૧૫૨-Bhgavat Rahasya-152
દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.આ અવસર સારો છે-એમ જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો.હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1134
અધ્યાય-૧૩૮-ભીમ અને કર્ણનો પુનઃ સમાગમ
II धृतराष्ट्र उवाच II महानयनयः सूत ममैवात्र विशेषतः I स इदानीमनुप्राप्तो मन्ये संजय शोचतः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૂત,આમાં ખાસ કરીને મારો પોતાનો જ મહાન અન્યાય છે અને તે જ આ સમયે મારી આગળ ખડો થયો છે એમ હું માનું છું.હવે તો મારા મનમાં એમ જ થઇ ગયું છે કે-'જે થયું તે થયું' કેમ કે હવે આ સંબંધમાં હું શું કર્તવ્ય કરી શકું?મારી અનીતિને જ કારણે આ જે વીર પુરુષોનો ને મારા પુત્રોનો સંહાર થયો છે.તે વિષે તું કહે.
May 17, 2026
ભાગવત રહસ્ય-૧૫૧-Bhgavat Rahasya-151
માયા નું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્ન-માળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે-કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે-તે માયામાં ફસાયેલો છે.
શંકરાચાર્યે મણિરત્ન-માળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1133
અધ્યાય-૧૩૭-ભીમસેનનું યુદ્ધ (ચાલુ)
II संजय उवाच II भीमसेनस्य राधेयः श्रुत्वा ज्यातलनिःस्वनम् I नामृष्यत यथा मत्तो गजः प्रितिगजस्वनम् II १ II
સંજય બોલ્યો-જેમ,કોઈ એક મગદળ હાથી સામેથી બીજા હાથીની ગર્જનાને સાંખી રહે નહિ,તેમ કર્ણ,ભીમસેનના ધનુષ્યની દોરીના ટંકારાવને સાંખી રહ્યો નહિ.બે ઘડી સુધી તો તે દૂર ખસી ગયો હતો,પણ તેણે,રણમાં પાડી નાખેલા તમારા પુત્રોને જોયા.તે જોઈને તેનું મન ઉદાસ થઇ ગયું,ને લાંબો ઉષ્ણ નિશ્વાસ નાખીને તે પુનઃ સાક્ષાત કાળની જેમ પ્રયાસ કરતો ભીમસેન સામે ગયો ને બાણોની વૃષ્ટિ કરી તેને ઢાંક્યો.ભીમસેને તે કર્ણના બાણોનો અસહ્ય વેગને જોઈને તેના બાણોના મોટા ઢગને,સામે બાણોના પ્રહાર કરીને અટકાવી દીધા.ને સામે તેને બાણોથી છાઈ દીધો.





