Jun 20, 2026

ભાગવત રહસ્ય-૧૭૪-Bhgavat Rahasya-174

પ્રહલાદ નૃસિંહસ્વામીની સ્તુતિ કરે છે-હે નાથ,તમારાં મંગલમય સદગુણોનું હું શું વર્ણન કરું? બ્રહ્માદિ દેવો પણ તમારી લીલાને જાણી શકતા નથી.હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા કંટકરૂપ હતા,તેથી આપે તેનો વધ કર્યો,તે સારું થયું.આ તમારું ભયંકર સ્વરૂપ જોઈને દેવોને પણ બીક લાગે છે.પરંતુ મને બીક લાગતી નથી. ખરું કહું તો મને આ સંસારની બીક લાગે છે. સંસારને જયારે હું નિહાળું છું ત્યારે મને ગભરામણ થાય છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1156

 

અધ્યાય-૧૫૮-કર્ણ અને કૃપાચાર્યનો વચનકલહ 


II संजय उवाच II उदीर्यमाणं तद्दष्टवा पांडवानां महद्बलम् I अविषह्यं च मन्वानः कर्ण दुर्योधनोब्रवीत II १ II

સંજય બોલ્યો-પાંડવોના મહાન સૈન્યને આગળ વધતું જોઈને તથા તેને સહન કરવું અશક્ય માનીને દુર્યોધને કર્ણને કહ્યું કે-'હે મિત્રવત્સલ,મિત્રોને સહાય કરવાનો આ ખરો સમય આવી પહોંચ્યો છે,તું આપણા સર્વ મહારથીઓનું રક્ષણ કર.જો,આ પાંચાલો,મત્સ્યો,કેકયો અને પાંડવો આપણા મહારથીઓને ચારે બાજુથી ઘેરીને ઉભા છે,ને સિંહનાદો કરી રહ્યા છે'

Jun 19, 2026

ભદ્રકાલી માતાજી-આબુરોડ-Bhadrakali Mataji-Abu road

 Jeth Sud-5-Mataji Patotsav
Bhadrakali Mataji-Abu road,Rajsthan

ભાગવત રહસ્ય-૧૭૩-Bhgavat Rahasya-173

વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે.નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે.તે દૂધ પીતા નથી પણ કેવળ પ્રેમથી નામદેવને નિહાળી રહ્યા છે.નામદેવ કહે છે-“હું બાળક છું,આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો?દૂધ કેમ પીતા નથી?જલ્દી દૂધ પીઓ, તમને ભૂખ લાગી હશે.”
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1155

 

અધ્યાય-૧૫૭-સોમદત્ત,બાહલીક,નાગદત્ત આદિ કુરુઓનો વધ 


II संजय उवाच II द्रुपदस्यात्मजान द्रष्ट्वा कुन्तिभोजसुतांस्तथा I द्रोणपुत्रेण निहतान राक्षसांश्च सहस्त्रशः II १ II

સંજય બોલ્યો-અશ્વત્થામાએ આ પ્રમાણે દ્રુપદરાજાના ને કુંતીભોજના પુત્રોને તથા હજારો રાક્ષસોને મારી નાખ્યા તે જોઈને યુધિષ્ઠિર,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ આદિ યોદ્ધાઓ સાવધાન થઈને યુદ્ધ કરવા માટે જ મનમાં નિશ્ચયવાળા થયા.હે ભારત,તે વખતે તમારા અને શત્રુયોદ્ધાઓનું ભયંકર યુદ્ધ થઇ રહ્યું.સાત્યકિને જોઈને સોમદત્ત ફરીથી તેની સામે ધસી આવ્યો.તેને આવતો જોઈને ભીમસેન સાત્યકીની મદદે આવ્યો ને સોમદત્તને વીંધવા લાગ્યો હતો.પુત્રોના દુઃખથી પીડાયેલા એ વૃદ્ધ સોમદત્તને સાત્યકિએ દશ તીક્ષ્ણ બાણો વડે વીંધી નાખી,એક શક્તિના પ્રહારથી તેને ઘાયલ કરી નાખ્યો.બીજી તરફથી ભીમસેને એ  સોમદત્તના મસ્તક પર ઘોર એવું પરિઘ માર્યું,તે જ વખતે સાત્યકિએ પણ એક મોટું તીક્ષ્ણ બાણ સોમદત્તની છાતીમાં માર્યું.આ બંને પ્રહારોથી સોમદત્ત ધરણી પર ઢળી પડ્યો.