May 10, 2026

ભાગવત રહસ્ય-૧૪૪-Bhgavat Rahasya-144

તે પછી રાજા રહૂગણ પૂછે છે-આ વ્યવહારને મિથ્યા (અસત્ય) કેમ કહી શકાય ?જો કોઈ પણ વસ્તુ અસત્ય હોય –મિથ્યા હોય તો-કોઈ પણ ક્રિયા (કર્મ) થઇ શકે જ નહિ. જેમ કે જો ઘડો (મિથ્યા) અસત્ય હોય-તો તે ઘડાથી જળ લાવી શકાય નહિ.હકીકતમાં ઘડો હોય તો જ જળ લાવી શકાય. આંખે દેખાતી વ્યવહારની ક્રિયાઓમાં બધું હકીકતથી ભરેલું છે-તે મિથ્યા કેવી રીતે?

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1126

 

અધ્યાય-૧૩૦-દુર્યોધનનું યુદ્ધ 


 II संजय उवाच II तस्मिन् पिलुलिते सैन्ये सैधवायार्जुने गते I सात्वते भीमसेने च पुत्रस्ते द्रोणमभ्ययात् II १ II

સંજય બોલ્યો-જયારે તે સૈન્ય લગભગ આમ વીખરાઈ ગયું અને અર્જુન,સાત્યકિ તથા ભીમસેન,જયદ્રથ પાસે આવી પહોંચ્યા ત્યારે તમારો પુત્ર દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ઘણી ઝડપથી પહોંચ્યો ને ગભરાટભેર આચાર્યને કહેવા લાગ્યો કે-'અરે ઓ આચાર્ય,અર્જુન,સાત્યકિ ને ભીમ એ સર્વ આપણા સૈન્યનો પરાજય કરીને સિંધુરાજની સમીપ આવી પહોંચ્યા છે ને પ્રહારો કરી રહ્યા છે.આ રણમાં અર્જુન તમને ઉલ્લંઘીને આવ્યો તે તો સમજ્યો પણ સાત્યકિ અને ભીમસેન તમને કેમ કરીને ઉલ્લંઘી શક્યા? આ તો આ લોકમાં સમુદ્ર સુકાયા જેવી આશ્ચર્યની વાત છે.તે ત્રણેથી થયેલા આપણા પરાજયના સંબંધમાં લોકો ઘણી વાત કરી રહ્યા છે.ખરે,હવે મારો મંદભાગીનો આ રણમાં નાશ થવા જ આવ્યો છે.આ ભયંકર પ્રસંગે હવે તમારે જે કહેવાનું હો તે તમે કહો.જે થયું તે થયું પણ હવે શું કરવું તેનો તમે બરોબર વિચાર કરી સમયોચિત શું કાર્ય કરવું ઘટે છે તે વિષે અમને સત્વર કહો કે જેથી તે પ્રમાણે સત્વર કરવામાં આવે'

May 8, 2026

ભાગવત રહસ્ય-૧૪૩-Bhgavat Rahasya-143

કારીગીરી -અનંત ની-Photo-by Anil
જડભરતજી માને છે-કે મારે પ્રારબ્ધ પૂરું કરવું છે.શરીર જ્યાં લઇ જાય ત્યાં જવું છે. ફરતાં ફરતાં –ગંડકી નદીનો કિનારો છોડી 
ઇક્ષુમતિ નદીના કિનારે આવ્યા છે.તે સમયે સિંધુ દેશનો રાજા રહૂગણ –પાલખીમાં બેસી કપિલમુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતો હતો.ચાર ભોઈઓએ પાલખી ઊંચકી છે.જલપાન કરવા રસ્તામાં મુકામ કર્યો છે. તેવામાં ચારમાંથી એક નાસી ગયો. 
રાજાએ કહ્યું-જે કોઈ મળે તેણે પકડી લાવો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1125

 

અધ્યાય-૧૨૯-ભીમનો સૈન્ય પ્રવેશ અને કર્ણનો પરાજય 


II धृतराष्ट्र उवाच II तथा तु नर्दमानं तं भीमसेनं महाबलम् I मेघस्तनितनिर्घोषं के वीराः पर्यवारयन II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યો-એ રીતે મેઘગર્જના સમાન ઘોષથી ગાજી રહેલા એ મહાબળવાન ભીમસેનને આપણા પક્ષના કયા વીરોએ આગળ વધતો અટકાવ્યો હતો? ક્રોધાયમાન થયેલા ભીમની સામે રણમાં ઉભો રહે તેવો એક પણ પુરુષ મને ત્રણેય લોકમાં દેખાતો નથી.ત્યાં કયા પુરુષો તણખલા સમાન મારા પુત્રોને બાળી નાખવા ઇચ્છતા એ ભીમસેનરૂપ દાવાનળ સામે રણમાં ઉભા રહ્યા હતા?જેમ,કાળ સર્વ પ્રજાઓને તગેડી મૂકે છે તેમ ભીમસેન મારા પુત્રોને તગેડી રહ્યો હતો તો તે જોઈને કયા વીરપુરુષોએ તેને ઘેરી લીધો હતો? ખરેખર મને જેવો ભય ભીમથી થાય છે તેવો ભય નથી થતો અર્જુનથી,કૃષ્ણથી કે ધૃષ્ટદ્યુમ્નથી.મારા પુત્રોને બાળી નાખવાની ઈચ્છાથી ભડભડ થયેલા એ ભીમરૂપી અગ્નિની આસપાસ ક્યા શૂરાઓ વીંટાઈ વળ્યા હતા?તે તું કહે.

May 4, 2026

ભાગવત રહસ્ય-૧૪૨-Bhgavat Rahasya-142

હરણ શરીરમાં ભરતજી અતિ સાવધ છે. જેટલા દિવસ હરણબાળ જોડે પ્રેમ કર્યો હતો-તેટલા દિવસ –તેમને હરણ શરીરમાં રહેવું પડ્યું. પ્રારબ્ધકર્મ પૂરું થયું. બીજું નવું કોઈ પ્રારબ્ધકર્મ બનાવ્યું નથી.એટલે એક દિવસ-હરયે નમઃ-કરતાં કરતાં પ્રાણ છોડ્યા.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પવિત્ર બ્રાહ્મણને ઘેર ભરતજીનો જન્મ થયો છે. ભરતજી નો આ છેલ્લો જન્મ છે.તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે-'હરણમાં મન ફસાયું અને પશુજન્મ મળ્યો-તે યાદ છે. હરણના સંગથી હરણ બન્યો, હવે માનવના સંગથી માનવ થઈશ, મારે હવે કોઈનો સંગ કરવો નથી, મારે હવે પરમાત્માના શરણમાં જવું છે.'