સુનીતિના પુત્ર-ધ્રુવજી ચાર-પાંચ વર્ષના થયા છે, એક દિવસ મા ને પૂછે છે-મારા પિતાજી ક્યાં છે ? મા નું હૃદય ભરાયું, આજ સુધી છુપાવ્યું –કે તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે. પણ આજે કહી દે છે-કે-સામે જે રાજમહેલ છે-તેમાં તારા પિતા રહે છે. ધ્રુવ પિતાને મળવા દોડ્યા છે.
SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 17, 2026
ભાગવત રહસ્ય-૧૨૫-Bhgavat Rahasya-125
સુનીતિના પુત્ર-ધ્રુવજી ચાર-પાંચ વર્ષના થયા છે, એક દિવસ મા ને પૂછે છે-મારા પિતાજી ક્યાં છે ? મા નું હૃદય ભરાયું, આજ સુધી છુપાવ્યું –કે તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે. પણ આજે કહી દે છે-કે-સામે જે રાજમહેલ છે-તેમાં તારા પિતા રહે છે. ધ્રુવ પિતાને મળવા દોડ્યા છે.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1107
અધ્યાય-૧૧૧-સાત્યકિનાં વચનો
II संजय उवाच II प्रीतियुक्तं च हृदं च मधुराक्षरमेव च I कालयुक्तं च चित्रं च न्याय्यं यच्चाषि भाषितम् II १ II
સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,એ રીતે પ્રેમયુક્ત,સુંદર,મધુર અક્ષરોવાળું,સમયને યોગ્ય,અદભુત અને કહેવાને ન્યાયયુક્ત એવું ધર્મરાજાનું વચન સાંભળીને શિનિશ્રેષ્ઠ સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,અર્જુનને માટે તમે જે ન્યાયયુક્ત,અદભુત અને યશસ્કર વાક્ય કહ્યું તે મેં બરોબર સાંભળ્યું છે.આવા કટોકટીના સમયમાં મારા જેવાને,પોતાના અનુરાગી સુહૃદ તરીકે જોઈને તમે જે રીતે અર્જુનને કહો તે જ રીતે મને કહેવાને પણ યોગ્ય છો.મારે અર્જુનને માટે કદી પણ મારા પ્રાણોને વહાલા કરવાના હોય નહિ,વળી,જયારે તમારી પ્રેરણા થઇ છે તો હું આ મહારણમાં શું ન કરું?
Apr 16, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1106
અધ્યાય-૧૧૦-યુધિષ્ઠિરનો ગભરાટ
II धृतराष्ट्र उवाच II भारद्वाजं कथं युद्धे युयुधानो न्यवारयत् I संजयाचक्ष्य तत्वेन परं कौतूहलं हि मे II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ યુદ્ધમાં સાત્યકિએ,દ્રોણાચાર્યને કેવી રીતે અટકાવ્યા,તે સાંભળવાનું મને ઘણું કુતુહલ છે.'
સંજય બોલ્યો-હે રાજન,સાત્યકિ આદિ પાંડવ યોદ્ધાઓ સાથે દ્રોણાચાર્યનો રુંવાં ખડાં થઇ જાય તેવો મહાન સંગ્રામ થયો હતો.
સાત્યકિ પોતાની સેનાનો સંહાર કરી રહ્યો હતો તે જોઈને દ્રોણાચાર્ય એકદમ સાત્યકિ સામે ધસી ગયા ને પાંચ તીક્ષ્ણ બાણો વડે તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ પચાસ નારાચ બાણોનો પ્રહાર કર્યો ને તેમને વીંધ્યા.કોપાયમાન થયેલા દ્રોણાચાર્ય સાત્યકિ પર એટલા બધા પ્રહાર કર્યા કે સાત્યકિને 'હવે શું કરવું?'તેની સૂઝ રહી નહોતી.તેનું મોં ઉતરી ગયું હતું.
Apr 15, 2026
ભાગવત રહસ્ય-૧૨૩-Bhgavat Rahasya-123
(૨) જળ તત્વ- ના દેવ શિવ છે. શિવજીની કૃપાથી જ્ઞાન મળે છે.
(૩) તેજ તત્વ - ના દેવ સૂર્ય છે. સૂર્ય નીરોગી બનાવે છે.આરોગ્ય આપે છે.તે પૃથ્વી પર પ્રત્યક્ષ –દેવ- છે.
(૪) વાયુ તત્વ- ના દેવી માતાજી છે. માતાજીની ઉપાસના –બુદ્ધિ-શક્તિ અને ધન આપે છે.
(૫) આકાશ તત્વ-ના દેવ વિષ્ણુ છે. વિષ્ણુની ઉપાસના પ્રેમ આપે છે-(પરમાત્મા પ્રેમમય છે)





