Apr 8, 2026

ભાગવત રહસ્ય-૧૧૬-Bhgavat Rahasya-116

Photo-By-Anil Shukla
મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. આ પર એક દૃષ્ટાંત વિચારવા જેવું છે.
એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું-ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે. 

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1098

 

અધ્યાય-૧૦૨-શ્રીકૃષ્ણ અને અર્જુનની વાતચીત 

 II वासुदेव उवाच II दुर्योधनमतिक्रांतमेनं पश्य धनंजय I अत्यद्भुतमिमं मन्ये नास्तस्य सदशो रथः II १ II

વાસુદેવ બોલ્યા-હે અર્જુન,જો,આ દુર્યોધન સર્વને ઉલ્લંઘીને અહીં આવી પહોંચ્યો છે,હું આને અદભુત માનું છું,એના સરખો બીજો કોઈ મહારથી નથી.તે દૂર સુધી બાણો ફેંકનારો,મહાધનુર્ધર,અસ્ત્રકુશળ ને તરેહ તરેહનાં યુદ્ધ કરી જાણે છે.તે પ્રથમથી જ અત્યંત સુખમાં ઉછરીને મોટો થયો છે,સર્વ વાતે કુશળ છે અને નિત્ય બાંધવોનો દ્વેષ કરે છે.મને લાગે છે કે તારું અને તેનું આ યુદ્ધ સમયને યોગ્ય છે.આ વેળા,તું ચિરકાળથી એકઠા કરેલા ક્રોધરૂપ ઝેરને વરસાવ,આ દુર્યોધન જ સર્વ અનર્થોનું મૂળ છે.તું આજે તારા આત્માની સફળતા જ માનજે કારણકે આ દુર્યોધન આજે તારા બાણોનો વિષય થયો છે.બાકી આ રાજ્યલોભી,તારી સાથે યુદ્ધ કરવા આવે શાનો?આજે તે તારા બાણોના લક્ષ્યમાં આવી ઉભો છે તે બહુ સારું થયું છે.

Apr 7, 2026

ભાગવત રહસ્ય-૧૧૫-સ્કંધ-૪-Bhgavat Rahasya-115

સ્કંધ-૪(ચોથો)-૧ (વિસર્ગ લીલા)
પ્રથમ સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.દ્વિતીય સ્કંધ એ જ્ઞાન-લીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્યનું કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું.ત્રીજો સ્કંધ સર્ગ-લીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનું વર્ણન છે.ચોથો સ્કંધ ને વિસર્ગ-લીલા કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1097

 

અધ્યાય-૧૦૧-દુર્યોધન યુદ્ધ કરવા આવી પહોંચ્યો 


 II संजय उवाच II स्त्रंसंतं इव मज्जानस्तावकानां भयान्नृप I तौ द्रष्ट्वा समतिक्रान्तौ वासुदेवधनंजयौ II १ II

સંજય બોલ્યો-હે રાજા,શ્રીકૃષ્ણ અને અર્જુનને સૈન્યનું ઉલ્લંઘન કરી આવેલા જોઈને તમારા પુત્રોની મજ્જાઓ જાણે ભયને લીધે નરમ પડી ગઈ.આમ છતાં તેઓ લજ્જાને અને વૈર્યને લીધે સ્થિર થઈને ઉભા રહ્યા અને અર્જુનની સામે જવા લાગ્યા.જે વખતે અર્જુન દ્રોણાચાર્યના સૈન્ય સામે હતો ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓ એમ જ માની બેઠા હતા કે તે દ્રોણનું ઉલ્લંઘન કરીને આવી શકશે નહિ.પણ અર્જુન જયારે દ્રોણના સૈન્યને ઉલ્લંઘી આગળ આવ્યો ત્યારે તેઓએ જયદ્રથના જીવિતની આશા રાખી નહિ.વળી,જયારે અર્જુન કૃતવર્માનાં સૈન્યને પણ ઉલ્લંઘીને આગળ વધ્યો ત્યારે તો સર્વને જયદ્રથના વધ વિષે શંકા રહી નહિ.એ વેળા અર્જુન અને શ્રીકૃષ્ણ,જયદ્રથનો વધ કરવાના સંબંધમાં પરસ્પર વાત કરતા હતા.

Apr 6, 2026

ભાગવત રહસ્ય-૧૧૪-Bhgavat Rahasya-114

જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કરે છે. સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો-માયા છૂટે-અને સુખી થાય –પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.જીવ બાલ્યાવસ્થામાં મા સાથે પ્રેમ કરે છે.
જરા મોટો થાય –એટલે –રમકડાં સાથે પ્રેમ કરે છે.તે પછી-મોટો થાય-એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે –પુસ્તકોનો મોહ ઉડી જાય છે.