Jul 1, 2026

ભાગવત રહસ્ય-૧૮૪-Bhgavat Rahasya-184

શુકદેવજી વર્ણન કરે છે-એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા.
દુર્વાસા વૈકુંઠલોકમાંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.દુર્વાસાએ તે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ ગુમાનમાં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.હાથીની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગથી કચડવા લાગ્યો.દુર્વાસાને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે.તેથી દુર્વાસાએ-ઇન્દ્રને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1165

અધ્યાય-૧૬૭-સહદેવ અને કૌરવપક્ષી રાક્ષસ અલંબુષ નાઠા 


 II संजय उवाच II सहदेवमथायांतं द्रोणप्रेप्सुं विशांपते I कर्णो वैशर्तनो युद्धे वारयामास भारत II १ II

સંજય બોલ્યો-હે ભારત,ત્યાં સહદેવ દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં ધસી જતો હતો ત્યારે કર્ણે તેને અટકાવ્યો.સહદેવે તેને નવ બાણોથી વીંધ્યો.તે જોઈ કર્ણે સામે સો બાણોનો પ્રહાર કરીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.સહદેવે નવું ધનુષ્ય લઈને સામો પ્રહાર કર્યો ત્યારે કર્ણે અનેક બાણો મૂકીને સહદેવના સારથિ ને ઘોડાઓને મારી નાખ્યા.સહદેવે ઢાલ તલવાર હાથમાં લીધી,કે જેનો કર્ણે નાશ કર્યો.ત્યાર બાદ સહદેવે ગદા,શક્તિ રથનું પૈડું -વગેરેથી તેના સામે પ્રહાર કર્યો કે જે સર્વનો કર્ણે નાશ કર્યો.પછી હથિયાર રહિત થયેલા તે સહદેવે રણસંગ્રામનો ત્યાગ કર્યો.તે વખતે કર્ણે.પોતે કુંતીને આપેલા વચનનું સ્મરણ કરીને તે સહદેવને સંગ્રામમાં માર્યો નહોતો.પછી,તે કર્ણ પાંચાલવંશી જન્મેજયના રથ સામે ધસી ગયો.

Jun 30, 2026

Try -AI-here

ભાગવત રહસ્ય-૧૮૩-Bhgavat Rahasya-183

ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
પૂર્વજન્મ માં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે.
(ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ.) “કાળ મને પકડવા આવ્યો છે.નાથ તમારે શરણે છું.” 
“દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી,તો બીજા સાધારણ જીવ 
તો તમને કેમ જાણી શકે ?  તમારું વર્ણન કેમ કરી શકે ? 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1164

 

અધ્યાય-૧૬૬-ભીમ અને દુર્યોધનનું યુદ્ધ-દુર્યોધન નાઠો 


 II संजय उवाच II भुरिस्तु समरे राजन शैनेयं रथिनां वरम् I आपतंतमयासेधत् प्रयाणादिव कुंजरं II १ II

સંજય બોલ્યો-હે રાજન,ઢાળવાળી જમીન પર દોડી આવતા હાથીને જેમ અટકાવવામાં આવે તેમ,એ યુદ્ધમાં ધસી આવતા સાત્યકિને કૌરવ ભુરિએ અટકાવ્યો હતો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.બંને અરસપરસ બાણો મૂકી એકબીજાના ધનુષ્યને કાપતા હતા પણ તે બંને કુશળ યોદ્ધાઓ પલકવારમાં જ નવું ધનુષ્ય લઈને એકબીજાની છાતી પર પ્રહાર કરતા હતા.બંને અત્યંત વીંધાઈ ગયા હતા.છેલ્લે જયારે ભૂરિએ સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે અત્યંત ક્રોધાયમાન થયેલા સાત્યકિએ એક મહાન વેગવાળી શક્તિનો પ્રહાર કર્યો કે જેના પ્રહારથી ભુરિનાં અંગો છિન્નભિન્ન થયાં ને તે મરણશરણ થયો.