SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jul 16, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1178
અધ્યાય-૧૮૦-પાંડવો શોકમાં ત્યારે શ્રીકૃષ્ણ આનંદમાં
II संजय उवाच II हैडिंबिं निहतं द्रष्ट्वा विशीर्णमिवपर्वतम् I वभुवुः पांडवा: सर्वे शोकवाष्वाकुलेक्षणाः II १ II
સંજય બોલ્યો-તૂટી પડેલા પર્વત જેવા વિશાળ શરીરવાળા તે હિડિમ્બાનંદનને જોઈને સર્વ પાંડવો શોકાશ્રુથી આકુળ નેત્રોવાળા થઇ ગયા.પણ તે જ સમયે શ્રીકૃષ્ણ તો મોટા હર્ષથી છલકાઈ જવા લાગ્યા ને સિંહનાદ કરીને અર્જુનને ભેટી પડ્યા.ને અર્જુનને થાબડીને રથની બેસણી પર રહીને પુનઃ ગર્જના કરવા લાગ્યા.ત્યારે અર્જુન મનમાં ઉદાસ થઈને તેમને કહેવા લાગ્યો કે-'હે મધુસૂદન,ઘટોત્કચના મરણથી આપણે શોક પામ્યા છીએ તે વખતે તમે અતિ હર્ષ કરો તે અસ્થાને લાગે છે.આમાં કોઈ નાનુંસૂનું કારણ નહિ જ હોય,તમે જે સત્ય હોય તે કહો.જો વાત છાની રાખવા જેવી ન હોય તો તે મને કહેવી ઘટે છે'
Jul 15, 2026
ભાગવત રહસ્ય-૧૯૭-Bhgavat Rahasya-197
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1177
અધ્યાય-૧૭૯-ઘટોત્કચનો વધ
II संजय उवाच II निहत्यालायुधं रक्षः प्रहृष्टात्मा घटोत्कचः I ननाद विविधान्नादान् वाहिन्याः प्रमुखे तव II १ II
સંજય બોલ્યો-અલાયુધનો નાશ કરીને રાક્ષસ ઘટોત્કચનું મન પ્રસન્ન થયું અને તે તમારી સેનાના મોખરે આવી વિવિધ ગર્જનાઓ કરવા લાગ્યો,તેના તુમુલ શબ્દને સાંભળીને તમારા યોદ્ધાઓને અતિ દારુણ ભય થવા લાગ્યો હતો.બીજી તરફ કર્ણ પાંચાલો સામે ધસી ગયો હતો.તેણે તીક્ષ્ણ બાણોથી ધૃષ્ટદ્યુમ્ન ને શિખંડીને અત્યંત ઘાયલ કર્યા હતા ને મોટાં નારાચ બાણોથી સાત્યકિ,યુધામન્યુ અને ઉત્તમૌજા આદિને કંપાવી દીધા હતા.
Jul 14, 2026
ભાગવત રહસ્ય-૧૯૬-Bhgavat Rahasya-196
યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા.તે બ્રહ્મનિષ્ઠ છે. એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી,આ તો ખુદ નારાયણ આવ્યા છે.





