Feb 13, 2026

ભાગવત રહસ્ય-૬૩-Bhgavat Rahasya-63

કુંતાજી સ્તુતિ કરે છે-આપ એવી દયા કરો-કે મને- અનન્ય ભક્તિ-પ્રાપ્ત થાય. નાથ, મને કઈ આવડતું નથી –પણ –હું તમારા ચરણમાં વારંવાર વંદન કરું છું.
સ્તુતિનો આરંભ કુંતાજીએ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે.
સાંખ્ય-શાસ્ત્રનાં ૨૬ તત્વોનું –પ્રતિપાદન (વર્ણન) -૨૬ શ્લોકોની આ સ્તુતિમાં કરવામાં આવ્યું છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1045

અધ્યાય-૩૯-દુઃશાસનની ચડાઈ 


II धृतराष्ट्र उवाच II द्वैधी भवति मे चित्तं भिया तुष्टया च संजय I मम पुत्रस्य यत्सैन्यं सौभद्रः संवारयत II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ભય અને સંતોષથી મારું ચિત્ત બે પ્રકારે વહેંચાઈ જાય છે,કારણકે સુભદ્રાના 

પુત્રે મારા સૈન્યને અટકાવ્યું છે.તેણે મારા સૈન્ય સાથે જે રીતે યુદ્ધક્રીડા કરી હોય તે મને કહે.


સંજય બોલ્યો-તમારા પક્ષના અનેક યોદ્ધાઓએ એકલા અભિમન્યુ સામે તુમુલ રણસંગ્રામ ખેલ્યો હતો.એકલો અભિમન્યુ બળતાં ઉંબાડિયાંની જેમ ઘૂમીને દ્રોણ,કર્ણ,કૃપ,શલ્ય,અશ્વત્થામા,ભોજ,બૃહદબલ,દુર્યોધન,ભૂરિશ્રવા,શકુનિ ને તે ઉપરાંત બીજા અનેક રાજાઓ,રાજપુત્રો ને તેમનાં સૈન્યોને બાણોથી ઝાટકવા માંડ્યા હતા.અભિમન્યુનું તે ચરિત્ર જોઈને તમારાં હજારો સૈન્યો કંપી ઉઠ્યાં.તે અભિમન્યુના પરાક્રમને જોઈને દ્રોણાચાર્ય હર્ષથી કૃપાચાર્યને કહેવા લાગ્યા કે-પાંડવોનો આ પ્રસિદ્ધ યુવાન સુભદ્રાપુત્ર પોતાના સર્વ મિત્રો ને સંબંધીઓને આનંદ પમાડતો આપણા સૈન્યમાં ઘૂમી રહ્યો છે.આ યુદ્ધમાં હું બીજા કોઈ પણ ધનુર્ધરને આના તોલમાં માનતો નથી.તે ઈચ્છે તો આ સઘળી સેનાનો સંહાર કરી નાખે,પણ તે શા માટે એવી ઈચ્છા કરતો નથી?

Feb 12, 2026

ભાગવત રહસ્ય-૬૨-Bhgavat Rahasya-62

'સુખકે માથે શિલ પડો, હરિ હૃદયસે જાય,
બલિહારી વહ દુઃખકી ,જો પલ પલ નામ જપાય—જો પલ પલ રામ જપાય'
હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે-કે-સીતાજીને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય થયેલાં (મેં જોયા) છે-તેથી જ હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદમાં છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1044

 

અધ્યાય-૩૮-અભિમન્યુની વીરતા 


II धृतराष्ट्र उवाच II तथा प्रमथमानं तं महेष्वामानजिह्नगै: I आर्जुनि मामका: संख्येकेर्त्वेनं समवारयन II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-આમ સીધાં જનારાં બાણોથી મોટામોટા ધનુર્ધરોને ત્રાસ પમાડી રહેલા અભિમન્યુને,

મારા કયા કયા યોદ્ધાઓએ યુદ્ધમાં આગળ વધતાં અટકાવ્યો?

Feb 11, 2026

ભાગવત રહસ્ય-૬૧-Bhgavat Rahasya-61

કુંતાજી –દુઃખના દિવસો- અને એ દિવસોમાં પ્રભુએ કરેલા ઉપકારોને- ભૂલ્યા નથી.કુંતાજી કહે છે-પ્રભુએ અમને સુખી કર્યા છે.કેવાં કેવાં દુઃખમાંથી અમને ઉગાર્યા છે. નાથ, મને યાદ આવે છે-કે-હું વિધવા થઇ હતી-મારાં બાળકો નાનાં હતાં. ત્યારે-નાથ, તમે જ મારું અને મારાં બાળકોનું રક્ષણ કર્યું હતું.