SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jul 4, 2026
ભાગવત રહસ્ય-૧૮૭-Bhgavat Rahasya-187
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1168
અધ્યાય-૧૭૦-ધૃષ્ટદ્યુમ્નની દ્રોણાચાર્ય પર ચડાઈ
II संजय उवाच II तस्मिन् सुतुमुले युद्धे वर्तमाने भयावहे I ध्रुष्ट्ध्युम्नो महाराज द्रोणमेवाभ्यवर्तत II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,આ પ્રમાણે જયારે તે મહાભયંકર તુમુલ યુદ્ધ થઇ રહ્યું હતું ત્યારે ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્ય સામે જ ધસારો કર્યો હતો.તે વખતે પાંચાલ ને પાંડવ યોદ્ધાઓ તેને વીંટાઈ વળ્યા હતા.દ્રોણને શત્રુઓથી ઘેરાયેલા જોઈને તમારા પુત્રો બરાબર સાવધ થઈને દ્રોણની રક્ષા કરવા લાગ્યા.જોતજોતામાં તે બે સૈન્યો મોટા મહાસાગરની જેમ સામસામે આવી ગયાં.
દ્રોણાચાર્યે પચીસ બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધીને તેના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે તેણે નવું ધનુષ્ય હાથમાં લઈને એક ઘોર બાણ છોડ્યું,તે તેજસ્વી બાણે જાણે સૈન્યને પ્રકાશિત કર્યું હતું,પણ તે બાણને આચાર્યના રથ સામે ધસી આવતું જોઈને કર્ણે તેને અધવચ્ચે જ કાપી નાખ્યું,ને બીજાં દશ બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખ્યો.
Jul 3, 2026
ભાગવત રહસ્ય-૧૮૬-Bhgavat Rahasya-186
કામધેનું ગાયનું બ્રાહ્મણો ને દાન કરવામાં આવ્યું.જેને આંગણે સંતોષ-રૂપી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે.બ્રાહ્મણનું જીવન અતિસાત્વિક હોવું જોઈએ.તે પછી ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે.ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. તે દૈત્યોને આપ્યો છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1167
અધ્યાય-૧૬૯-રાત્રિયુદ્ધનું રૌદ્ર સ્વરૂપ
II संजय उवाच II नकुलं रमसं युद्धे निघ्नंतं वाहिनीं तव I अभ्ययात सौबलः कृद्वस्तिष्ठ तिष्ठेति चात्रवित II १ II
સંજય બોલ્યો-એ યુદ્ધમાં નકુલ વેગપૂર્વક તમારી સેનાનો સંહાર કરી રહ્યો હતો તે સમયે સુબલપુત્ર શકુનિ તેની સામે ધસ્યો.ને તેમની વચ્ચે યુદ્ધ શરુ થયું.તે બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા ને બંને લોહીથી લથબથ થયા હતા.કોપિત શકુનિએ ત્યારે એક કર્ણઆકારનું બાણ મૂકીને નકુલના હૃદયને વીંધ્યું કે જેથી તે મૂર્છા પામીને રથની બેસણી પર બેસી ગયો.થોડીવારે જયારે તેને ભાન આવ્યું ત્યારે તે ફરીથી શકુની તરફ ધસ્યો ને તેના ધનુષ્યને કાપી નાખ્યું ને બાણો મૂકી તેનો સાથળોને ઘાયલ કર્યા.ઘણો ઘાયલ ને બેભાન થયેલો શકુની ધજાના દાંડાને પકડી રથની બેઠક પર બેસી ગયો.ત્યારે તેનો સારથિ તેને રણમાંથી દૂર લઇ ગયો.આમ,શકુનિને હરાવીને નકુલ સિંહનાદ કરવા લાગ્યો ને પછી તે દ્રોણાચાર્ય પ્રતિ ધસ્યો.
Jul 2, 2026
ભાગવત રહસ્ય-૧૮૫-Bhgavat Rahasya-185
મનને સ્થિર રાખી જે પ્રભુ પાછળ પડે છે-તો પહેલું ઝેર મળે છે.ભગવાન કસોટી કરે છે.
નિંદા એ ઝેર છે,કર્કશ વાણી એ ઝેર છે.પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે.
દુઃખી થયા વગર આ ઝેર સહન કરવાનું છે. તો અમૃત મળે છે.




