Feb 24, 2026

ભાગવત રહસ્ય-૭૪-સ્કંધ-૨-Bhgavat Rahasya-74

જગતમાં ગુરુ –સુલભ છે. પણ સદગુરુ મળવા દુર્લભ છે.
સદ(સત-સત્ય) એ પરમાત્માનું નામ છે. સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરુ.
પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપે તે-સદગુરુ.
માત્ર શબ્દોથી ઉપદેશ આપે તે ગુરુ.(આધુનિક-અત્યારના જમાનામાં આવા ગુરુ ઠેર ઠેર જોવા મળે છે)

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1056

 

અધ્યાય-૫૦-રણભૂમિનો દેખાવ 


II संजय उवाच II वयं तु प्रवरं हत्वा तेषां तैः शरपीडिताः I निवेशायाभ्युपायामः सायाह्ने रुधिरोक्षिताः II १ II

સંજય બોલ્યો-હે રાજા,શત્રુઓના ઉત્તમ પુરુષ એ અભિમન્યુનો નાશ કરીને,બાણોથી પીડાયેલા ને લોહીથી રેબઝેબ થયેલું કૌરવ સૈન્ય,ને ઉદાસ થયેલું પાંડવ સૈન્ય,સૂર્યાસ્ત થતાં,છાવણી તરફ વળ્યું.શિયાળના શબ્દથી અશુભ જણાતો સાયંકાળ થઇ ગયો હતો.ત્યારે રણ પર અનેક હાથીઓ,ધજા,અંકુશ અને મહાવતોનો જાણે ઢેર થયો હતો.મરણ પામેલા પાદરક્ષકો,સારથિઓ,નાશ પામેલા ઘોડાવાળા રથો,અનેક યોદ્ધાઓના મૃત શરીરોથી પૃથ્વીનું સ્વરૂપ વિપરીત ને ઘોર દેખાતું હતું.

Feb 23, 2026

ભાગવત રહસ્ય-૭૩-Bhgavat Rahasya-73

તે જ વખતે સભામાં શુકદેવજી પધારે છે. બધાં મહાત્માઓ ઉઠીને ઉભા થાય છે. સર્વ વંદન કરે છે.વ્યાસજી પણ તે સભામાં છે.તે પણ ઉભા થઇ વંદન કરે છે. શુકદેવજીનું નામ લેતા –વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે.વ્યાસજી વિચારે છે-ભાગવતનું –રહસ્ય-શુકદેવજી જાણે છે-તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે.!!તે કથા કરશે ને હું સાંભળીશ.કોણ ઉભા થયા છે-કોણ માન આપે છે-તેનું પણ શુકદેવજીને ભાન નથી. ક્યાં બેસવું તે પણ ભાન નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1055

 

અધ્યાય-૪૯-અભિમન્યુનો નાશ 


II संजय उवाच II विष्णोः स्वसुनंदकरः स विष्णवायुधभूषणः I रराजातिरथः संख्ये जनार्दन इवापरः II १ II

સંજય બોલ્યો-શ્રીકૃષ્ણની બહેનનો પુત્ર અને શ્રીકૃષ્ણના ચક્રાયુધથી શોભતો એ અતિરથી અભિમન્યુ રણમાં જાણે બીજો શ્રીકૃષ્ણ હોય તેવો શોભતો હતો.સર્વે મહારથીઓએ,જયારે અભિમન્યુના ચક્રના ટુકડા કરી નાખ્યા,ત્યારે અભિમન્યુએ હાથમાં ગદા ઉઠાવી ને તેણે તેનો અશ્વત્થામા પર ઘા કર્યો.તે ગદાને આવતી જોઈને અશ્વત્થામા રથની બેઠક પરથી ત્રણ ડગલાં દૂર ખસી ગયો,પણ તે ગદાએ તેના ઘોડાઓ,સારથી ને પૃષ્ઠરક્ષકોનો નાશ કરી નાખ્યો.તે સમયે બાણોથી ભરાઈ ગયેલો  તે અભિમન્યુ શાહુડી જેવો દેખાતો હતો.તે પછી,તેણે સુબલના પુત્ર કાલિકેય ને તેના અનુનાયી એવા સિત્તોતેર યોદ્ધાઓને મારી નાખ્યા.

Feb 22, 2026

ભાગવત રહસ્ય-૭૨-Bhgavat Rahasya-72

શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના પિતાનું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-
રાજાને શાપ આપ્યો છે.‘રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-
તેના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષક નાગ કરડશે. તેનું મરણ થશે.’
આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. 
મારી બુદ્ધિ બગડી.મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો?