કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં –એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.
SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 29, 2026
ભાગવત રહસ્ય-૧૦૬-Bhgavat Rahasya-106
કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં –એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1088
અધ્યાય-૯૨-શ્રુતાયુધ અને સુદક્ષિણનું સ્વર્ગગમન
II संजय उवाच II सनिरुद्वस्तु तैः पार्थो महाबलपराक्रमः I द्रुतं समनुयातश्व द्रोणेन रथिनां वरः II १ II
સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,મહાબળવાન ને મહાપરાક્રમી રથીશ્રેષ્ઠ અર્જુનને આમ સર્વ યોદ્ધાઓએ અટકાવી રાખ્યો હતો ત્યાં દ્રોણાચાર્ય તત્કાલ ધસી આવ્યા હતા.ત્યારે કિરણોને ફેંકી રહેલા સૂર્યની જેમ,તીક્ષ્ણ બાણો ફેંકતા અર્જુને સૈન્યને તપાવવા માંડ્યું હતું.એ યુદ્ધમાં અર્જુન હજારો રથો,હાથીઓ ને યોદ્ધાઓનો સંહાર કરતો હતો,તેના બાણોથી પીડાઈને સૈન્ય નાસભાગ કરવા લાગ્યું હતું.પોતાને અટકાવી રહેલ શત્રુ સૈન્યને કંપાવી દઈને અર્જુન ફરીથી દ્રોણ સામે ધસ્યો.સામે દ્રોણે અર્જુન પર પચીસ બાણો મૂકીને પોતાના શિષ્ય પર પ્રહાર કર્યો ત્યારે તે બાણોનો નાશ કરતો કરતો અર્જુન તેમની સામે ધસ્યો.
Mar 27, 2026
ભાગવત રહસ્ય-૧૦૫-Bhgavat Rahasya-105
પરમાત્માના બે સ્વરૂપો છે.સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથમાં આવતું નથી.આંખને દેખાતું નથી,માત્ર બુદ્ધિથી તેનો અનુભવ થઇ શકે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1087
અધ્યાય-૯૧-દ્રોણાચાર્યની સામે અર્જુન
II संजय उवाच II दुःशासनबलं हत्वा सव्यसाची महारथः I सिन्धुराजं परिप्सन्वै द्रोणानिकमुपाद्रवत II १ II
સંજય બોલ્યો-આમ દુઃશાસનના સૈન્યનો સંહાર કરીને મહારથી અર્જુન સિંધુરાજની પાસે પહોંચવાની ઈચ્છાથી દ્રોણના સૈન્ય સામે ધસ્યો ને મોખરામાં ઉભેલા દ્રોણાચાર્ય સામે પહોંચીને,શ્રીકૃષ્ણની સંમતિથી બે હાથ જોડીને તેમને કહેવા લાગ્યો કે-
'હે બ્રહ્મન,મારુ કલ્યાણ થાય એમ આપ ચિંતવો અને મને 'સ્વસ્તિ' કહી આશીર્વાદ આપો.આપણી કૃપાથી હું આ દુર્ભેદ્ય સેનામાં પ્રવેશ કરવા ઈચ્છું છું.આપ મારા પિતા સમાન છો ને આ શ્રીકૃષ્ણ ને ધર્મરાજ સમાન પૂજ્ય છો,એ હું સત્ય કહું છું.આપે જેમ અશ્વત્થામાનું રક્ષણ કરવું જોઈએ તેમ મારું પણ સદા રક્ષણ કરવું જોઈએ.આજના રણમાં હું સિંધુરાજનો વધ કરવા ઈચ્છું છું આપ મારી આ પ્રતિજ્ઞાનું રક્ષણ કરો.'
Mar 26, 2026
ભાગવત રહસ્ય-૧૦૪-Bhgavat Rahasya-104
વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે.
મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે,



