May 30, 2026

ભાગવત રહસ્ય-૧૬૩-Bhgavat Rahasya-163

હિરણ્યકશિપુએ પૂછ્યું-તારા ભગવાન સર્વત્ર છે-તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી ? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે?
પ્રહલાદ કહે છે-જી,હા મારા ભગવાન આ સ્તંભમાં પણ છે.તમારી આંખમાં કામ છે એટલે તમને દેખાતા નથી. મને તેમના દર્શન થાય છે.
જેના મનમાં પાપ છે-વિકારવાસના છે-તેને પરમાત્મા નાં દર્શન થતાં નથી.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1145

 

અધ્યાય-૧૪૮-શ્રીકૃષ્ણે અર્જુનની કરેલી પ્રશંસા 


II धृतराष्ट्र उवाच II तथा गतेषु शूरेषु तेषां मम च संजय I किं चै भीमस्तदाकार्पित्तन्ममाचक्ष्य संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડવ ને મારા પક્ષના સર્વ શૂરા યોદ્ધાઓ,જયારે જય-પરાજયના 

વાતાવરણમાં આવી પહોંચ્યા હતા ત્યારે વીર ભીમસેને શું કર્યું હતું?તે તું મને કહે.

સંજય બોલ્યો-તે સમયે રથરહિત થયેલો ભીમ,કર્ણના વાણીરૂપ વિષથી ક્રોધવશ થઇ ગયો હતો ને તેણે અર્જુનને કહ્યું હતું કે-'હે ધનંજય,તારી સમક્ષ કર્ણે મને,'હે મૂઢ,હે ખાઉધરા,દાઢીમૂછ વિનાના,અકુશળ,બાળક,રણકાયર ને યુદ્ધ કરવાનું રહેવા દે' વગેરે વિષ વચનો કહ્યાં છે.'આમ બોલનારને મારે મારી જ નાખવો' એવું મેં પ્રથમથી જ કહ્યું છે.પણ,કર્ણનો વધ કરવાની તારી પ્રતિજ્ઞા છે તેને ધ્યાનમાં રાખીને મેં તેનો વધ કર્યો નથી.તો હવે તારી પ્રતિજ્ઞા સત્ય કરી બતાવ.'

May 29, 2026

ભાગવત રહસ્ય-૧૬૨-Bhgavat Rahasya-162

દૈત્ય-બાળકો પ્રહલાદને પૂછે છે-કે-પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા ?
પ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો.આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમથી ભલાઈ કરો.આથી ભગવાન પ્રસન્ન થાય છે.ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.ભગવાનને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે.માટે નામનું કિર્તન કરો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1144

 

અધ્યાય-૧૪૭-કર્ણ અને સાત્યકિનું યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II तस्मिन्न विनिहते विरे सैन्धवे सव्यसाचिना I मामक यदकुर्वन्त तन्ममाचक्ष्य संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સવ્યસાચી અર્જુને જયારે વીર સિંધુરાજને મારી નાખ્યો પછી મારા પુત્રોએ શું કર્યું?તે તું મને કહે.

સંજય બોલ્યો-હે ભારત,સિંધુરાજને અર્જુને રણમાં મારી નાખેલો જોઈને કૃપાચાર્યે ક્રોધવશ થઈને અર્જુન પર મોટી બાણવૃષ્ટિ કરી.તે વખતે અશ્વત્થામા પણ અર્જુન સામે ધસી આવ્યો.તે બંને અર્જુનને પીડવા લાગ્યા હતા છતાં અર્જુને પોતાના ગુરુને ને ગુરુપુત્રને મારવાની ઈચ્છા ન કરી પરંતુ એ યુદ્ધમાં ગુરુનું સન્માન કરીને મંદ વેગવાળાં બાણો જ ફેંક્યા હતાં ને તે બાણોના પ્રહારથી કૃપાચાર્યને મૂર્છા આવી ગઈ ને તેઓ રથની બેસણી પર બેસી ગયા.

May 28, 2026

ભાગવત રહસ્ય-૧૬૧-Bhgavat Rahasya-161

હિરણ્યકશિપુ વિચારે છે કે- આ કોઈ ઉપાયે મરતો નથી. આ મને મારવા આવ્યો છે કે શું ? હિરણ્યકશિપુ ગભરાયો છે.ત્યાં શંડામર્ક આવ્યા. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા.-આ પાંચ વર્ષનો બાળક તમને શું મારી શકે ? અમે તેણે વરુણપાશમાં બાંધી રાખીશું. ચાર મહિના પછી શુક્રાચાર્ય આવવાના છે- પછી તે આજ્ઞા આપે તેમ કરજો.શંડામર્ક પ્રહલાદજીને વરુણપાશમાં બાંધી ઘેર લાવ્યા છે.