SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Aug 28, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1205 (Book-Part-5)
(૮) કર્ણ પર્વ (Book-Part-5)
મંગલાચરણ
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને
'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.
II वैशंपायन उवाच II ततो द्रोणे हते राजन दुर्योधनमुखा नृपाः I भृशमुद्विग्नमनसो द्रोणपुत्रमुपागमन II १ II
વૈશંપાયન બોલ્યા-'આમ,હે રાજન,દ્રોણાચાર્ય હણાયા,એટલે મનમાં અત્યંત ઉદાસ થયેલા દુર્યોધન આદિ રાજાઓ અશ્વત્થામાની પાસે ગયા,ને શારદવતીના સુત અશ્વત્થામાની આસપાસ વીંટાઇને બેઠા.એક મુહૂર્તકાળ સુધી તેમણે પરસ્પર અનેક શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો કહી સંભળાવ્યા,ને પછી તે સર્વે રાજાઓ સાવધાન થઈને પોતપોતાના તંબુઓમાં ગયા.તંબુઓમાં જઈને પણ તે રાજાઓને સુખ થયું નહિ કારણકે તેઓ દુઃખ ને શોકથી વ્યાકુળ થઈ ગયા હતા.ખાસ કરીને કર્ણ,દુઃશાસન,અને શકુનિ તો સાથે મળીને વિચાર કરતા દુર્યોધનના તંબુમાં જ સુઈ રહ્યા.ત્યાં તેઓ,પોતે પાંડવોને જે દુઃખ આપ્યું હતું તેનો વિચાર કરવા લાગ્યા.જુગારમાં કપટ,દ્રૌપદીનું અપમાન-આદિ વિચાર કરતા તે રાત્રિ તેમને સો વર્ષ જેવડી થઇ ગઈ હતી.
Aug 27, 2026
ભાગવત રહસ્ય-૨૩૮-Bhgavat Rahasya-238
રામજી કહે છે-કે મારે કોઈ ગામમાં ચૌદ વર્ષ સુધી પ્રવેશ કરવો નથી.
ગંગાકિનારે સીસમના ઝાડ નીચે-મુકામ કર્યો છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1204
ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,ભગવાન શંકરે આખી પૃથ્વીને જ પોતાના રથરૂપ બનાવી,નાગરાજ શેષને રથના ધૂંસરારૂપ બનાવ્યો,સૂર્યચંદ્રને રથનાં પૈડાં બનાવ્યાં.ત્યારે એ ત્ર્યંમ્બકે,ઐલપુત્ર તથા પુષ્પદંત નામના બે સર્પોને ધૂંસરીના છેડાનાં બંધન બનાવ્યાં,મંદરાચલ પર્વતને રથનો યૂપ બનાવ્યો.એ મહેશ્વરે ચાર વેદને ચાર ઘોડા બનાવ્યા ને ગાયત્રી-સાવિત્રીને ઘોડાઓની લગામ બનાવી.ૐકારને ચાબુક બનાવ્યો,બ્રહ્માને સારથી બનાવ્યા,વિષ્ણુને ઉત્તમ બાણ બનાવ્યા,અગ્નિને બાણનું ભાથું,વાયુને બાણનાં પીંછા ને યમરાજને બાણની પૂંખ બનાવ્યો.આવા દિવ્ય રથમાં બિરાજીને તે ભગવાન શંકર ત્રિપુરનો નાશ કરવા નીકળ્યા ત્યારે દેવો ને મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા.
Aug 26, 2026
ભાગવત રહસ્ય-૨૩૭-Bhgavat Rahasya-237
પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.
કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.





