Aug 31, 2026

ભાગવત રહસ્ય-૨૪૨-Bhgavat Rahasya-242

રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે.અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.
રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકોને ખબર પડી છે. 
લોકો દોડતા રામ- સીતાના દર્શન કરવા આવ્યા છે.રામજીના દર્શનથી તેઓનું પાપ છૂટી ગયું,
સ્વભાવ બદલાયો,જીવન સુધરી ગયું. રામજીની નજરમાં એવો જાદુ છે-કે-
ભીલ લોકોનું મદિરાપાન અને માંસાહાર છૂટી ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1207

અધ્યાય-૩-સંક્ષેપમાં કર્ણવધ કથન 


 II संजय उवाच II हते द्रोणे महेष्वासे तव पुत्रा महारथाः I वभुवरस्वस्थमुखा विषण्णा गतचेतसः II १ II

સંજય બોલ્યો-જયારે મહાધનુર્ધર દ્રોણાચાર્ય મરાયા,ત્યારે તમારા મહારથી પુત્રો દીનમુખા,ખિન્ન અને બેભાન જેવા થઇ ગયા.સર્વ શસ્ત્રધારીઓ મુખને નીચું નમાવી જોઈ રહ્યા હતા અને શોકથી આતુર થઇ ગયા હતા,તેઓ પરસ્પર વાતચીત પણ કરી શકતા નહોતા.તે બધાને ગભરાટમાં પડી ગયેલા જોઈને તમારાં સૈન્યો દુઃખથી ત્રાસ પામીને ઊંચે આકાશ તરફ જ દ્રષ્ટિ કરવા લાગ્યાં.(અર્થાંત તેઓ બધા માનવા લાગ્યા કે હવે તો આપણે પણ ઉર્ધ્વગમન કરવાનું જ રહ્યું છે) તેમના હાથમાંથી શસ્ત્રો આપોઆપ નીચે પડી જવા લાગ્યાં.આમ સ્તબ્ધ થયેલા સૈન્યને જોઈને દુર્યોધન તેમને કહેવા લાગ્યો કે-

Aug 30, 2026

ભાગવત રહસ્ય-૨૪૧-Bhgavat Rahasya-241

વાલ્મીકિ રામજીને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,
હું કુસંગથી બગડેલો,લૂંટફાટનો ધંધો કરતો.અનેક જીવોની હિંસા કરતો,પણ નારદજીના 
સત્સંગથી મારું જીવન સુધર્યું.એક વખત સપ્તર્ષિઓ વનમાંથી જતા હતા,મારી નજર પડી 
અને મેં મારા સેવકોને આજ્ઞા કરી કે-પકડો તેમને અને લુંટો તેમને.
સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.

Shiv sahitya all list-શિવજી વિશેનું સાહિત્ય-list

Aug 29, 2026

ભાગવત રહસ્ય-૨૪૦-Bhgavat Rahasya-240

કેવટ અભણ છે,પણ તે જે વાત કરે છે-તે એક ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે.
રામજીને એ જોતાની સાથે ઓળખી ગયો છે,રામજીને એણે ભરપૂર પ્રેમ કર્યો છે.
કેવટ રામના રાજ્યાભિષેક વખતે તેના ઉપકારનો બદલો લેવા ગયો નથી.
પરંતુ રામજીએ યાદ રાખી ગુહકના મારફતે પ્રસાદ મોકલાવ્યો છે.અતિસંપત્તિમાં પણ 
રામજી –કેવટના પ્રેમને,કેવટના ઉપકારને ભૂલ્યા નથી.ગુહકને કહ્યું છે-કે-
“હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગાપાર લઇ ગયો હતો,તેને આ વસ્ત્રો-આભૂષણો આપજો,
તેણે મારી બહુ સેવા કરી છે.”