મહારાજ શિલભંજન પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા અને અનુષ્ઠાનમાં બેસે છે-ત્યારે એક મોટો નાગ આવે છે અને તેમને કરડવા જાય છે, પરંતુ મહારાજના હાથ નો સ્પર્શ થતાં તે નાગ શાંત થઇ જાય છે.અને પછી તો રોજ આવી ને એકનાથ મહારાજના માથા પર છત્ર ધરે છે. મહારાજને સર્વમાં સર્વેશ્વર દેખાય છે. એકનાથ મહારાજ –પૂર્ણ જ્ઞાની-પૂર્ણ ભક્ત છે.
SIVOHM ॐ
More then 12-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 1, 2026
ભાગવત રહસ્ય-૭૯-Bhgavat Rahasya-79
મહારાજ શિલભંજન પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા અને અનુષ્ઠાનમાં બેસે છે-ત્યારે એક મોટો નાગ આવે છે અને તેમને કરડવા જાય છે, પરંતુ મહારાજના હાથ નો સ્પર્શ થતાં તે નાગ શાંત થઇ જાય છે.અને પછી તો રોજ આવી ને એકનાથ મહારાજના માથા પર છત્ર ધરે છે. મહારાજને સર્વમાં સર્વેશ્વર દેખાય છે. એકનાથ મહારાજ –પૂર્ણ જ્ઞાની-પૂર્ણ ભક્ત છે.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1061
અધ્યાય-૫૫-સૃન્જય રાજાની કથા
II संजय उवाच II श्रुत्वा मृत्युममुत्पतिं कर्माण्यनुपमानि च I धर्मराजः पुनरवाक्यं प्रसाधैनमथाब्रवीत II १ II
સંજય બોલ્યો-મૃત્યુની ઉત્પત્તિનું તથા તેનાં અનુપમ કર્મોનું શ્રવણ કરીને ધર્મરાજ વ્યાસજીને પ્રસન્ન કરી પુનઃ બોલ્યા કે-
'હે બ્રહ્મન,પવિત્ર કર્મ કરનારા,ઇન્દ્ર સમાન પરક્રમવાળા,નિર્દોષ,મૌનવ્રતને ધારણ કરનારા એવા મહાન રાજર્ષિઓ સત્યલોક આદિ પવિત્ર શ્રેષ્ઠ સ્થાનોમાં વસે છે,માટે તેવા પ્રાચીન રાજર્ષિઓનાં કર્મોને સત્ય વચનમાં કહીને મારું આશ્વાસન કરો ને મારા ધૈર્યમાં વૃદ્ધિ કરો.તે પ્રાચીન રાજર્ષિઓમાંના કોણે કોણે કેટલી કેટલી દક્ષિણાઓ આપી હતી? તે મને કહો.
Feb 28, 2026
ભાગવત રહસ્ય-૭૮-Bhgavat Rahasya-78
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1060
અધ્યાય-૫૪-મૃત્યુ અને પ્રજાપતિનો સંવાદ
II नारद उवाच II वीनिय दुःखमबला आत्मन्येव प्रजापतिं I उवाच प्रांजलिर्भुत्वा लतेवावर्जिता पुनः II १ II
નારદ બોલ્યા-મૃત્યુ નામની તે અબળા,દુઃખને પોતાના અંતરમાં દબાવી દઈને હાથ જોડી,નમ્ર થઇ બ્રહદેવને કહેવા લાગી.
'હે દેવ,આપે મને આવી સ્ત્રી કેમ ઉત્પન્ન કરી?જાણવા છતાં આપે કહેલું તે અહિત ક્રૂર કર્મ હું કેમ કરું?હું અધર્મથી ડરું છું.આપ મારા પર પ્રસન્ન થાઓ.હું લોકોના પ્રિય પુત્રો,મિત્રો,ભાઈઓ,માતાઓ,પિતાઓ અને પતિઓનો સંહાર કરીશ તો તેઓ આંસુઓ વહાવી ને મારુ અનિષ્ટ ચિંતવશે.તેથી હું ભય પામીને આપણે શરણે છું,હું યમરાજને ઘેર કદી નહિ જાઉં.જો આપની કૃપા હોય તો મને તપ કરવાની જ ઈચ્છા છે.તમારી આજ્ઞાથી હું ધેનુકાશ્રમ જઈશ ને ત્યાં તમારું જ આરાધન કરવામાં આસક્ત રહી તીવ્ર તપ કરીશ,આપ મને આ અધર્મથી બચાવી લો.'
Feb 27, 2026
ભાગવત રહસ્ય-૭૭-Bhgavat Rahasya-77
'એક' શબ્દ નો અર્થ થાય છે-ઈશ્વર. એક ઈશ્વરમાં સર્વનો લય કરીને(સર્વનો અંત કરીને) બેસે તે એકાંત.ગૃહસ્થ ઘરમાં સમભાવ (સમતા) રાખી શકતો નથી, ભલે ને- એ રોજ ગીતાનો પાઠ કરે –કે-સમતા એ જ યોગ છે.ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી(અસમતાથી) ભરેલા છે. ત્યાં સમતા રાખવી ખુબ જ અઘરી છે.





