આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –
વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.
More then 14-Million Views
II संजय उवाच II सात्वतस्य तु तत्कर्म दष्ट्वा दुर्योधनादय: I शैनेयं सर्वतः कृद्वा वारयामासुरंजसा II १ II
સંજય બોલ્યો-સાત્યકિના તે કર્મને જોઈને દુર્યોધન આદિ યોદ્ધાઓ ક્રોધે ભરાયા ને તેની સામે ધસી તેને સર્વ તરફથી અટકાવવા લાગ્યા.ત્યારે પાંડવ ભાઈઓ તેની આસપાસ વીંટાઈ વળ્યાં.સામે કર્ણ,કૃપાચાર્ય,દુર્યોધને આવીને સાત્યકિ સામે બાણોની વર્ષા કરી કે સામે સાત્યકિએ ઉદય પામેલી તે બાણવૃષ્ટિને અટકાવી દીધી.વળી શત્રુઓએ પ્રયોજેલાં દિવ્ય અસ્ત્રોનો પણ સામે વિધિવત દિવ્ય અસ્ત્રો મૂકીને તે દિવ્ય અસ્ત્રોનો અટકાવ કર્યો.તે રણમાં ભયંકર રક્તપાત થયો હતો.પછી,યુધિષ્ઠિરના કહેવાથી સૃન્જય યોદ્ધાઓ સુસજ્જ થઈને દ્રોણાચાર્ય સામે ધસ્યા.
II संजय उवाच II तं दष्ट्वा परमोद्विग्नं शोकोपाहातचेतसम I पंचालराजस्य सुतो ध्रुष्ट्ध्युम्न समाद्रवत II १ II
સંજય બોલ્યો-દ્રોણાચાર્યને પરમ ઉદ્વેગ પામેલા ને શોકથી ખિન્ન થયેલા જોઈને,પાંચાલરાજનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન તેમની સામે ધસ્યો.તે ધૃષ્ટદ્યુમ્નને રાજા દ્રુપદે,મહાયજ્ઞમાં દેવોને હવિર્ભાગનું અર્પણ કરીને દ્રોણાચાર્યનો વિનાશ કરવા માટે પ્રદીપ્ત અગ્નિ પાસેથી મેળવ્યો હતો.તે ધૃષ્ટદ્યુમ્ને એક ઘોર ધનુષ્ય હાથમાં લઈને અગ્નિસમાન મોટી જ્વાળાઓવાળું બાણ સાંધ્યુ.તે દિવ્ય બાણ જોઈને દ્રોણાચાર્ય પોતાના શરીરનો અંત આવેલો જ માનવા લાગ્યા.છતાં તેનું વારણ કરવા માટે પોતાનો બનતો પ્રયત્ન કરવા લાગ્યા હતા,પરંતુ તેમનાં દિવ્ય અસ્ત્રો તે વેળા પ્રગટ થયાં નહિ.