SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jul 22, 2026
ભાગવત રહસ્ય-૨૦૨-Bhgavat Rahasya-202
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1182
દ્રોણવધ પર્વ
અધ્યાય-૧૮૪-બંને પક્ષનાં સૈન્યો રણમાં જ નિંદ્રામાં
II संजय उवाच II व्यासेनैवमथोक्तस्तु धर्मराजो युधिष्ठिरः I स्वयं कर्णवधाद्विरो निवृत्तो भरतर्षभ II १ II
સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,વ્યાસજીએ એ પ્રમાણે કહ્યું એટકે ધર્મરાજ પોતે કર્ણનો વધ કરવા જતા અટકી ગયા ને ધૃષ્ટદ્યુમ્નને કહેવા લાગ્યા કે-'તું દ્રોણાચાર્યને અટકાવી દે.તું તેમનો નાશ કરવા જ બાણ,કવચ અને ધનુષ્ય સાથે અગ્નિમાંથી ઉત્પન્ન થયો છે,માટે ભય રાખ્યા વિના તેમની સામે ધસી જા.બીજા સર્વ યોદ્ધાઓ સૈન્ય સાથે તારી સાથે જ છે' એમ કહીને યુધિષ્ઠિરે સર્વ પાંડવ સૈન્યને ધૃષ્ટદ્યુમ્ન સાથે જઈ દ્રોણાચાર્યનો વધ કરવાની આજ્ઞા આપી.તેથી તે સર્વ દ્રોણાચાર્ય સામે ધસ્યા.
Jul 21, 2026
ભાગવત રહસ્ય-૨૦૧-Bhgavat Rahasya-201
પોતાની જાતનું સમર્પણ કરતો નથી.- દાન આપ્યા પછી ભગવાનને નમતો નથી –
ત્યાં સુધી તે ભગવાનને ગમતો નથી.બલિરાજ ને સૂક્ષ્મ અભિમાન હતું કે –
સમર્પણ કર્યા પછી દૈન્યતા આવી નહિ.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1181
અધ્યાય-૧૮૩-યુધિષ્ઠિરનો કોપ અને વ્યાસનાં સાંત્વના વચનો
II धृतराष्ट्र उवाच II कर्णदुर्योधननादीनां शकुनेः सौबलस्य च I अपनीतं महत्तात तव चैव विशेषतः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'તે શક્તિના દુરુપયોગના સંબંધમાં કર્ણ,દુર્યોધન અને સુબલપુત્ર શકુનિ આદિ સર્વનો મહાન અપરાધ છે તેમાં વળી તારો તો ખાસ અપરાધ ગણાય.તમે બધા જાણતા હતા કે તે શક્તિ એક જ વીરનો નાશ કરનારી હતી.
સંજય બોલ્યો-'હે રાજન,પ્રતિદિન સંગ્રામમાંથી પાછા ફર્યા બાદ,અમારા સર્વની એ જ મસલત હતી કે કર્ણે બીજા કોઈ પર તે શક્તિ ફેંકવી નહિ પણ માત્ર અર્જુન કે કેશવ પર જ તે શક્તિ ફેંકવી.છતાં,પ્રભાત સમયે કર્ણની તથા બીજા યોદ્ધાઓની બુદ્ધિને દેવો નાશ કરી નાખતા હતા,માટે આ બાબતમાં હું દૈવને જ સર્વોત્કૃષ્ટ કારણ માનું છે.કર્ણ પણ કોઈ દૈવી માયાથી મોહિત થઈને કે દૈવે નષ્ટ કરેલી બુદ્ધિને અધીન થઈને શ્રીકૃષ્ણ કે અર્જુનના પર તેનો પ્રયોગ કર્યો નહિ ને તે શક્તિનો દુરુપયોગ થયો છે.'
Jul 20, 2026
ભાગવત રહસ્ય-૨૦૦-Bhgavat Rahasya-200
બલિરાજા એ જીવાત્મા છે-અને વામનજી એ પરમાત્મા છે.બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય છે-એટલે કે જે શુક્રની સેવા કરે-જે સંયમી છે-જે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્યનું પાલન કરે છે-તેને કોઈ મારી શકતું નથી.વામન ભગવાન પણ બલિરાજાને મારી શકતા નથી.
કંસ –વગેરેને માર્યા છે-પણ બલિરાજાને મારતા નથી.





