Aug 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-896

 

અધ્યાય-૩૪-વિભુતિયોગ(ગીતા-૧૦-વિભૂતિયોગ)


भूय एव महाबाहो शृणु मे परमं वचः ।यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१॥

શ્રી ભગવાન કહે છે-હે મહાબાહો,ફરીથી તું મારા પરમ વચનો સાંભળ.તને મારા ભાષણથી 

સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.(૧)

Aug 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-895

 

त्रैविद्या मां सोमपाः पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥२०॥

ત્રણ વેદ જાણનારા,સોમપાન કરનારા,અને તેના યોગથી નિષ્પાપ થયેલા,

યાજ્ઞિકો યજ્ઞ વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ માટે મારી પ્રાર્થના કરે છે અને 

તેઓ દીક્ષિત પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જઈ દેવોના ભોગો ભોગવે છે.(૨૦)  

Aug 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-894

 

અધ્યાય-૩૩-રાજવિદ્યા-રાજગુહ્યયોગ(ગીતા-૯-રાજવિદ્યા-રાજગુહ્યયોગ)


इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥१॥

राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥२॥

શ્રી ભગવાન બોલ્યાઃ હે અર્જુન,જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ.એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે 

તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહીત કહી સંભળાવું છું.આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે,સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે,

પવિત્ર છે,ઉત્તમ છે,પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું અને અવિનાશી છે.(૨)

Aug 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-893

 

मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥१५॥

आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन ।मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥१६॥

એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા 'જન્મ' ને પામતા નથી.(૧૫)

 હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે.

પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)

Aug 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-892

 

અધ્યાય-૩૨-અક્ષરબ્રહ્મયોગ (ગીતા-૮-અક્ષરબ્રહ્મયોગ)


अर्जुन उवाच--किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥१॥

अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥२॥

અર્જુન કહે છે-હે પુરુષોત્તમ,બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત શાને કહે છે? 

અને અધિદૈવ કોને કહે છે?હે મધુ સુદન ! આ દેહમાં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? 

જેણે અંત:કરણને જીતી લીધુ છે,એવો યોગી મરણ સમયે તમને કેવી રીતે જાણે છે ? (૨)

Aug 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-891

 

चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥१६॥

तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥१७॥

उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥१८॥

હે ભરતશ્રેષ્ઠ,આર્ત,જિજ્ઞાસુ,અર્થાર્થી અને જ્ઞાની,એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે.તેમાં જ્ઞાનીજનો,

નિરંતર મારામાં લીન રહી એકનિષ્ઠાથી મારી ભક્તિ કરે છે,તેથી તેઓ શ્રેષ્ઠ છે.આવા જ્ઞાનીજનોને 

હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે.એ સર્વશ્રેષ્ઠ છે,પરંતુ 'જ્ઞાની તો મારો આત્મા છે'

એમ હું માનું છું કારણકે તે મારામાં ચિત પરોવી મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે.(૧૮)