Nov 27, 2025

ભાગવત રહસ્ય-૧૦-Bhgavat Rahasya-10

વ્યાસાશ્રમમાં આરંભમાં વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા.વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. પણ લખે કોણ? ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.સતત ઈશ્વરના ચિંતનનો ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-993

 

અધ્યાય-૧૦૯-દશમો દિવસ (ચાલુ)અર્જુનની વીરતા 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं शिखंडी गांगेयमभ्यधावपितामहम I पांचाल्यः समरे कृद्वो धर्मात्मानं यतव्रतम् ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-એ યુદ્ધમાં ક્રોધાયમાન થયેલો શિખંડી,નિયમિત વ્રતવાળા અને ધર્માત્મા ગંગાપુત્ર ભીષ્મ સામે યુદ્ધ કરવા કેવી રીતે ધસ્યો?પાંડવોના યોદ્ધાઓ તેનું કેવી રીતે રક્ષણ કરતા હતા?વળી,ભીષ્મે પાંડવોની સામે કેવી રીતે યુદ્ધ કર્યું? તે મને કહે.ભીષ્મ સામે શિખંડી યુદ્ધ કરે એ મારાથી સહન થતું નથી.ભીષ્મનું ધનુષ્ય કે રથ તો ભાંગી પડ્યા ન હતાં ને?

Nov 26, 2025

ભાગવત રહસ્ય-૯-Bhgavat Rahasya-9

અંત કાળમાં મનુષ્યને પુણ્ય નું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે.પુણ્યનું સ્મરણ થાય તો મુક્તિ મળે છે.અંતકાળે તીર્થ યાત્રામાં જે કઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી, તેનું કારણ એક જ છે કે-
પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે, જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.પુણ્યમાં પૈસાનું,વિદ્યાનું અભિમાન હોય છે.'ઠાકોરજી આપે છે, તમે આપતા નથી'-એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું હજાર ગણું પુણ્ય મળે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-992

 

અધ્યાય-૧૦૮-દશમો દિવસ-ભીષ્મ ને શિખંડીનો સમાગમ 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं शिखण्डी गांगेयमभ्यवर्तत संयुगे I पांडवाश्च कथं भीष्मस्तन्ममाचक्ष्व संजय  ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પછીના સંગ્રામમાં શિખંડી અને પાંડવો ભીષ્મ સામે કેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા?તે મને કહે.

સંજયે કહ્યું-પછી,સૂર્યનો ઉદય થતાં ભેરી,મૃદંગ અને આનક આદિ રણવાજિંત્રો વાગવા લાગ્યાં ને શંખો ફૂંકાવા લાગ્યા.શત્રુઓનો નાશ કરી નાખે તેવો મહાન વ્યૂહ રચીને પાંડવોએ શિખંડીને સર્વ સૈન્યના મોખરામાં રાખ્યો હતો.અર્જુન અને ભીમ-એ બંને ચક્રો આગળ ઉભા રહીને તેનું રક્ષણ કરતા હતા.પાછળના ભાગમાં દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુ ઉભા રહ્યા.સાત્યકિ,ચેકિતાન,

ધૃષ્ટદ્યુમ્ન-આદિ તેમના સૈન્યની સાથે તેઓની પાછળ રક્ષણ કરતા ઉભા હતા.ત્યાર પછી,યુધિષ્ઠિર,નકુલ-સહદેવ,વિરાટરાજ અને દ્રુપદરાજ હતા.પાંચ કેકયરાજકુમારો અને ધૃષ્ટકેતુ પાંડવોના સૈન્યના જનઘભાગનું રક્ષણ કરતા હતા.આવી રીતે વ્યૂહ રચના ગોઠવી દઈને પાંડવો મરણિયા થઈને યુદ્ધ કરવા તમારી સેના તરફ ધસ્યા.

Nov 25, 2025

ભાગવત રહસ્ય-૮-Bhgavat Rahasya-8

કથાના આરંભમાં એકલા કૃષ્ણને વંદન કર્યા નથી.પણ કહ્યું છે કે -શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી નો અર્થ છે રાધાજી. રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવતમાં એવું લખ્યું છે કે-કૃષ્ણને કોઈ કોઈ વાર ક્રોધ આવે છે.પણ રાધાજી દયાની મૂર્તિ છે,તેમને કોઈ પર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય,પાપી હોય પણ રડતાં રડતાં –
‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી.