અધ્યાય-૧૧૨-ગરુડનો વેગ
II गालव उवाच II गरुत्मन्म न्भुजगेन्द्रारे सुपर्ण विनतात्मज I नय मां ताक्षर्य पूर्वेण यत्र धर्मस्य चक्षुषी II १ II
ગાલવે કહ્યું-'હે ગરુડ,હે નાગેન્દ્રશત્રુ,હે સુંદર પીંછાવાળા વિનતાપુત્ર,જ્યાં ધર્મનાં બે ચક્ષુઓ છે ત્યાં પૂર્વ દિશામાં તમે મને લઇ જાઓ,તમે સર્વ પ્રથમ એ દિશાનું વર્ણન કર્યું છે અને દેવતાઓનો નિવાસ પણ એ દિશામાં જ કહ્યો છે,અને ધર્મ તથા સત્યની સ્થિતિ પણ એ દિશામાં જ છે.હું એ દિશામાં રહેલા સર્વ દેવોનાં દર્શન અને તેમના સમાગમ કરવાની ઈચ્છા રાખું છું.'
આમ,કહી,ગરુડના કહેવાથી ગાલવ મુનિએ ગરુડના પર સવારી કરી,ને ગરુડ અતિવેગથી ઉડવા લાગ્યો ત્યારે તેને કહ્યું કે-