અધ્યાય-૬-પૃથ્વી વગેરેનાં માપનું વર્ણન
II धृतराष्ट्र उवाच II उक्तो द्वीपस्य संक्षेपो विधिवद् बुद्धिमंस्त्वया I तत्वज्ञश्चामि सर्वस्य विस्तरं ब्रुहि संजय II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તેં મને વિધિ પ્રમાણે,એ દ્વીપનું સંક્ષેપથી વર્ણન કહ્યું,પણ મને તે વિસ્તારથી કહે.
પ્રથમ સસલાના જેવા લક્ષણમાં એટલે કે પરમાત્માને જણાવનારા,માયાશબલ હાર્દબ્રહ્મમાં આ માયાકલ્પિત પૃથ્વીનો
જે અવકાશ દેખાય છે તેનું પ્રમાણ કહે અને તે પછી પીપળારૂપ ભાગનું વર્ણન કહેજે.
સંજયે કહ્યું-હે મહારાજ,હેમકૂટ,નિષધ,નીલ,શ્વેત અને શૃંગવાન-આ છ ખંડ પાડનારા પર્વતો,પશ્ચિમથી પૂર્વ તરફ લાંબા છે ને બંને તરફથી સમુદ્રમાં પેઠેલા છે.આ પર્વતો એકબીજાથી હજારો યોજનોના અંતરે આવેલા છે ને તેમાં રમણીય દેશો રહેલા છે જે પ્રદેશો 'વર્ષ' નામથી ઓળખાય છે.આપણે રહીએ છીએ તે 'ભારતવર્ષ' છે,તેનાથી ઉત્તરે 'હૈંમવત વર્ષ'છે,હેમકૂટથી પેલી તરફ આવેલો ખંડ 'હરિવર્ષ' કહેવાય છે.