Oct 15, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-2-Adhyaya-2

આકાશમાં આવેલ છૂટાં છૂટાં વાદળો જયારે ભેગાં થાય છે
ત્યારે તેનામાં “શક્તિ” આવે છે.અને વરસાદ બને છે.
કોઈ એકલા-અટુલા  વાદળમાં વરસાદ બનાવવાની શક્તિ નથી.
પણ જો આ ભેગાં થયેલ વાદળ ફરીથી જો વધારે શક્તિશાળી પવનથી વિખરાઈ જાય 
તો વાદળની શક્તિ ઓછી થઇ જાય છે.વરસાદ બનાવી શકતાં નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-647

 

અધ્યાય-૧૦-વૃત્રનો વધ 


II इन्द्र उवाच II सर्व व्याप्तमिदं देवा वृत्रेण जगदव्यः I न ह्यस्य सदशं किंचित्प्रतिघाताय यद्भवेत् II १ II

ઇન્દ્ર બોલ્યો-હે દેવો,વૃત્રાસુરે આ શાશ્વત આખું જગત ઘેરી લીધું છે અને એનો નાશ કરે તેવું કંઈ જ નથી.

પહેલાં હું સમર્થ હતો પણ હમણાં હું અસમર્થ થઇ ગયો છું.હવે મારે તમારું કલ્યાણ કેવી રીતે કરવું?

મને તો તે ન જીતી શકાય તેવો જ લાગે છે.માટે આપણે સહુ સાથે મળીને વિષ્ણુના સ્થાનમાં જઈને 

તેમની સાથે વિચાર કરીને વૃત્રના વધનો ઉપાય જાણીએ.

Oct 14, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧-અધ્યાય-1-Gita Rahasya-Gnaneshvari-1-Adhyaya-1

સંત જ્ઞાનેશ્વર
જ્ઞાનેશ્વર, પ્રથમ ગણપતિની અને પછી સરસ્વતી દેવીની સ્તુતિ અને વંદન કરે છે.
ત્યાર બાદ ગુરુ (નિવૃત્તિનાથ)ને વંદન કરી,અને ગીતાની શરૂઆત કરે છે.
અધ્યાય -૧ માં ગીતા  પ્રસ્તાવના છે.
ગીતા,મહાભારતના “ભીષ્મ પર્વ “ નામના પ્રકરણમાંથી લેવામાં આવેલી છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-646

 

અધ્યાય-૯-વિશ્વરૂપનો વધ 


II युधिष्ठिर उवाच II कथमिंद्रेण राजेन्द्र सभार्येण महात्मना I दुःखं प्राप्तं परं घोरमेतदिच्छामि वेदितुम II १ II

યુધિષ્ઠિરે પૂછ્યું-હે રાજેન્દ્ર,મહાત્મા ઇન્દ્રને તથા તેની ભાર્યાને કેવી રીતે 

મહાભયંકર દુઃખ પ્રાપ્ત થયું હતું? તે જાણવાની હું ઈચ્છા રાખું છું.

શલ્ય બોલ્યો-આ સંબંધમાં એક પુરાતન ઇતિહાસ તમે સાંભળો.પૂર્વે દેવોમાં શ્રેષ્ઠ એવા મહાતપસ્વી ત્વષ્ટા નામના પ્રજાપતિ હતા.તેમણે ઇન્દ્ર પ્રતિ દ્રોહથી વિશ્વરૂપ નામનો ત્રણ માથાંવાળો પુત્ર ઉત્પન્ન કર્યો હતો.કે જે વિશ્વરૂપ ઇન્દ્રપદની ઈચ્છા કરતો હતો.તેનાં સૂર્ય,ચંદ્ર અને અગ્નિના જેવાં ત્રણ મુખો હતાં.એક મુખથી તે વેદ ભણતો હતો,બીજા મુખથી તે મદિરાપાન કરતો હતો અને ત્રીજા મુખથી તે સર્વ દિશાઓને પી જતો હોય તેમ જોતો હતો.

Oct 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-645

 

અધ્યાય-૮-દુર્યોધને શલ્યને પોતાના પક્ષમાં લીધો 


II वैशंपायन उवाच II शल्यः श्रुत्वा तु दूतानां सैन्येन महता वृतः I अभ्ययात्पांडवान राजन सः पुत्रैर्महारथैः II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજા,દૂતોનો સંદેશો સાંભળીને શલ્ય રાજા પોતાના મહારથી પુત્રોની સાથે મોટા સૈન્યથી વીંટળાઈને પાંડવોની પાસે આવવા નીકળ્યો.મહાપરાક્રમી અને અક્ષૌહિણી સેનાનો સ્વામી મદ્રરાજ શલ્ય રાજા એટલી મોટી સેના રાખતો હતો કે તેની સેનાનો પડાવ છ ગાઉ સુધી પડતો હતો.સેનાને વિશ્રાંતિ આપતો આપતો તે ધીરેધીરે યુધિષ્ઠિર રાજા હતા ત્યાં જવા લાગ્યો.(આ મદ્રરાજ શલ્યરાજા નકુલ-સહદેવનો મામો હતો)

Oct 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-644

 

અધ્યાય-૭-દુર્યોધન અને અર્જુન શ્રીકૃષ્ણ પાસે ગયા 


II वैशंपायन उवाच II पुरोहितं ते प्रस्थाप्य नगरं नागसाहवयम् I दुतानप्र्स्थापयामासु: पार्थिवेभ्यस्ततस्तत II १ II

વૈશંપાયન બોલ્યા-એ પ્રમાણે દૂતને હસ્તિનાપુર મોકલ્યા પછી,પાંડવોએ ઠામઠામના રાજાઓની પાસે દૂતો મોકલ્યા.પછી,શ્રીકૃષ્ણને બોલાવવા અર્જુન પોતે જ દ્વારકા ગયો.તે જ દિવસે દુર્યોધન પણ દ્વારકા ગયો હતો.

બંનેએ એક જ વખતે દ્વારકામાં શ્રીકૃષ્ણના મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ સૂતા હતા.પ્રથમ દુર્યોધને પ્રવેશ કર્યો અને શ્રીકૃષ્ણના ઓસીકા તરફના મુખ્ય આસન પર બેઠો.અર્જુને પાછળથી પ્રવેશ કર્યો અને બે હાથ જોડીને નમ્ર  બનીને શ્રીકૃષ્ણના પગ આગળ ઉભો રહ્યો.