Jun 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-846

 

અધ્યાય-૧૯૩-ભીષ્મ વગેરેની શક્તિનું વર્ણન 


II संजय उवाच II प्रभातायां तु शर्वर्यां पुनरेव सुतस्तव I मध्ये सर्वस्य सैन्यस्य पितामहमप्रुच्छत II १ II

સંજયે કહ્યું-હે ધૃતરાષ્ટ્ર,તે રાત્રિ વીતીને પ્રભાત થતાં જ દુર્યોધને સર્વ સૈન્યની વચ્ચે ભીષ્મપિતામહને પૂછ્યું કે-

'હે ગંગાપુત્ર,યુધિષ્ઠિરનું આ સૈન્ય કે જે અનેક મહારથીઓથી સજ્જ છે ને ખાળી ન શકાય તેવા આ સૈન્યનો તમે કેટલા દિવસે નાશ કરી શકશો? વળી આપણી સેનાના દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા આદિમાંનો એક એક જણ કેટલે દિવસે પાંડવોની સેનાનો ક્ષય કરી શકશે? આ જાણવાની મારા મનમાં ઈચ્છા છે તો તે તમારે મને કહેવું જોઈએ.'

Jun 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-845

 

અધ્યાય-૧૯૨-શિખંડીને પુરુષપણાની પ્રાપ્તિ 


II भीष्म उवाच II शिखंडीवाक्यं श्रुत्वाथ यक्षो भरतर्षंम I प्रोवाच मनसा चिंत्य दैवेनोपनिपीडित II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,શિખંડીનું કહેવું સાંભળીને,દૈવના સપાટામાં સપડાયેલા તે યક્ષે મનમાં વિચાર કરીને તેને કહ્યું કે-

'હે કલ્યાણી,તું મારો ઠરાવ સાંભળ,હું મારું પુરુષપણું તને થોડા સમય માટે આપું છું,પરંતુ સમય પૂરો થતાં તારે અહીં પાછા આવવું,એને માટે તું સત્યના સોગન લે.મારી કૃપાથી તું તારા માતપિતા ને નગરનું રક્ષણ કર.હું તારું પ્રિય કરીશ'

શિખંડીએ કહ્યું-'હે સદાચારી નિશાચર,હું તમારું પુરુષપણું સમય પૂરો થતાં પાછું આપીશ.હિરણ્યવર્મા પાછો જશે 

ત્યારે હું ફરીથી કન્યા થઇ જઈશ અને તમે પુનઃ પુરુષ થજો'

Jun 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-844

 

અધ્યાય-૧૯૧-શિખંડીને સ્થૂણાકર્ણ યક્ષનો સમાગમ 


II भीष्म उवाच II ततः शिखण्डिनो माता यथातत्वं नराधिप I आचचक्षे महाबाहो भर्त्रे कन्यां शिखण्डिनिं II १ II

ભીષ્મે કહ્યું-હે મહાબાહો,પછી,રાણીએ શિખંડીની ખરી વાત,પોતાના ભર્તાને જાહેરમાં કહી કે-'હે રાજા,મને પુત્ર ન હોવાથી,શોક્યોના ભયને લીધે આ શિખંડીની કન્યા હતી તો પણ તે પુરુષ છે એમ મેં જણાવ્યું હતું.હે રાજા તમે પણ મારા પર પ્રીતિને લીધે તે વાતને અનુમોદન આપ્યું હતું.'કન્યા અવતરીને તે પુરુષ થશે' એવા શંકરનાં વચન તરફ નજર રાખીને મેં આ સાહસ કર્યું હતું ને અનર્થની દરકાર કરી નહોતી પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.ને આ વાત દુઃખરૂપ થઇ છે.

Jun 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-843

 

અધ્યાય-૧૮૯-હિરણ્યવર્માનો દૂત દ્રુપદની પાસે આવ્યો


II भीष्म उवाच II चकार यत्नं द्रुपदः सुतायाः सर्वकर्मसु I ततो लेख्यादिषु तथा शिल्पेषु च परंतप II १ II

ભીષ્મે કહ્યું-'પછી,દ્રુપદરાજાએ પોતાની પુત્રીને લેખન,શિલ્પકળા વગેરે સર્વ કર્મો શીખવાડવાનો યત્ન કર્યો.તે શિખંડી ધનુર્વિદ્યા શીખવામાં દ્રોણનો શિષ્ય થયો હતો.ત્યારબાદ,શિખંડીની માતાએ,તે શિખંડીને પુત્રની જેમ,લગ્ન કરીને સ્ત્રી લાવી આપવા દ્રુપદને પ્રેરણા કરી.ત્યારે કન્યાને યૌવન આવેલું જોઈને,દ્રુપદ પોતાની રાણી સાથે ચિંતા કરવા લાગ્યો કે 'હવે શું થશે?'

રાણીએ કહ્યું-'ત્રણેલોકના કર્તા મહાદેવનું વચન કોઈ રીતે મિથ્યા થશે નહિ.હું કહું છું તે જો તમારી બુદ્ધિ કબુલ કરે,તો તેમ કરો.આ શિખંડીનાં યત્નથી તમે વિધિ પ્રમાણે લગ્ન કરો,કારણકે શંકરનું વચન સત્ય જ થશે એવો મારી બુદ્ધિનો નિશ્ચય છે.'

Jun 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-842

 

અધ્યાય-૧૮૮-શિખંડીની ઉત્પત્તિ 


II दुर्योधन उवाच II कथं शिखण्डी गान्गेय कन्या भूत्वा पुरा तदा I पुरुषोभुद्युधिश्रेष्ठ तन्मे ब्रुहि पितामह II १ II

દુર્યોધને પૂછ્યું-હે ગંગાપુત્ર પિતામહ,શિખંડી પ્રથમ કન્યારૂપે ઉત્પન્ન થઈને પુરુષરૂપે કેવી રીતે થયો?તે કહો 

ભીષ્મે કહ્યું-દ્રુપદ રાજાની પ્રિય પટરાણી પુત્ર વિનાની હતી.ઉપરોક્ત અંબાનું પ્રકરણ ચાલતું હતું તે સમયે જ દ્રુપદ રાજાએ (મારા વધનો નિશ્ચય કરીને) પુત્રપ્રાપ્તિને માટે તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા હતા.શંકરે વર આપતાં કહ્યું કે-'પ્રથમ સ્ત્રીરૂપ પણ પછી પુરુષરૂપ એવું એક સંતાન તને પ્રાપ્ત થશે.તારા નસીબમાં આ જ પ્રમાણે છે,મારું કહેવું મિથ્યા થશે નહિ' આ પ્રમાણે વર મેળવીને દ્રુપદ પોતાના નગરમાં ગયો ને પોતાની ભાર્યાને શંકરના વર ની સર્વ વાત કહી.

Jun 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-841

 

અધ્યાય-૧૮૭-અંબાનો અગ્નિમાં પ્રવેશ 


II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे तपसे धृतनिश्चयां I द्रष्ट्वा न्य्वर्त्ययंस्तात् किं कार्यमिति चाब्रुवन् II १ II

ભીષ્મે કહ્યું-'તે પછી,સર્વ તપસ્વીઓ,તપને માટે નિશ્ચયવાળી તે કન્યાને જોઈને તેને તપથી અટકાવતા પૂછવા લાગ્યા કે-'તારે કયું કાર્ય સિદ્ધ કરવું છે?' અંબાએ કહ્યું-'ભીષ્મે મને પતિધર્મથી ભ્રષ્ટ કરીને રઝળતી કરી છે.માટે તે ભીષ્મના વધ માટે મેં આ તપની દીક્ષા ધારણ કરી છે.હું સ્ત્રીપણાથી બહુ કંટાળી ગઈ છું ને પુરુષ જન્મ મેળવવાના નિશ્ચયપૂર્વક ભીષ્મનો બદલો લેવાની ઈચ્છા રાખું છું.માટે તમારે મને આ કાર્યમાં મને અટકાવવી નહિ' ત્યારે,તે મહર્ષિઓની વચ્ચે પાર્વતીપતિ શંકરે પોતાના સ્વરૂપથી દર્શન આપી વર આપતાં કહ્યું કે-'તું ભીષ્મનો વધ કરીશ'