Oct 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-949

 

અધ્યાય-૬૮-વિશ્વોપાખ્યાન-કેશવ સ્તવન 


॥ भीष्म उवाच ॥ शृणु चेदं महाराज ब्रह्मभूतं स्तवं मम I ब्रह्मर्षिमिश्च वेदैश्च यः पुराकणितो भुवि ॥१॥ 

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,એ વાસુદેવની 'બ્રહ્મરૂપ સ્તુતિ' મારી પાસેથી તું સાંભળ.પૂર્વના સમયમાં બ્રહ્મર્ષિઓ અને દેવોએ પૃથ્વી પર આ પ્રમાણે સ્તુતિ કરી હતી.'હે લોકોને ઉત્પન્ન કરનાર,હે ભાવને જાણનાર,તમે સાધ્યદેવોના અને બીજા સર્વ દેવોના પણ દેવ છો અને ઈશ્વર છો'-એમ નારદે કહેલું છે.'તમે ભૂત-ભવિષ્ય અને વર્તમાન સ્વરૂપ છો'-એમ માર્કંડેયે કહેલું છે.

'તમે યજ્ઞના પણ યજ્ઞ છો,તપના પણ તપ છો દેવના પણ દેવ છો'-એમ ભૃગુઋષિ કહે છે.

Oct 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-948

 

અધ્યાય-૬૭-વિશ્વોપાખ્યાન (ચાલુ)


॥ दुर्योधन उवाच ॥ वासुदेवो महद्भूतं सर्वलोकेन कथ्यते I तस्यागमं प्रतिष्ठां च ज्ञातमिच्छे पितामह ॥१॥ 

દુર્યોધને કહ્યું-હે ભીષ્મ પિતામહ,વાસુદેવ શ્રીકૃષ્ણ,સર્વલોકમાં મહાન પુરુષ કહેવાય છે 

તો હું તેમની ઉત્પત્તિ સ્થિતિને જાણવા ઈચ્છું છું.


ભીષ્મે કહ્યું-એ વાસુદેવ મહાઅદભુત પુરુષ છે.એ સર્વ દેવના પણ દેવ છે.એ પુંડરીકાક્ષ સિવાય બીજું આ જગતમાં કંઈ જ દેખાતું નથી.માર્કંડેય ઋષિ એ ગોવિંદના સંબંધમાં મહા અદભુત વર્ણન કરે છે-'સર્વ ભૂતોના આધારરૂપ મહાત્મા પુરુષોત્તમ,સર્વ ભૂતોનો આધાર છે.જળ,વાયુ અને તેજને એમણે ઉત્પન્ન કાર્ય છે તથા સર્વ લોકના ઈશ્વર એવા એ પ્રભુએ પૃથ્વીને પણ ઉત્પન્ન કરી છે.એ પુરુષોત્તમે પૂર્વે પોતાના યોગબળ વડે જળની અંદર શયન કર્યું હતું.તેમણે મુખથી અગ્નિને ઉત્પન્ન કર્યો છે,શ્વાસોશ્વાસમાંથી વાયુને ઉત્પન્ન કર્યો છે ને મનથી સરસ્વતી ને વેદોને ઉત્પન્ન કર્યા છે.

Oct 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-947

 

અધ્યાય-૬૬-વિશ્વોપાખ્યાન(ચાલુ)


॥ भीष्म उवाच ॥ ततः स भगवान देवो लोकानामीश्वरेश्वर: I ब्रह्माणं प्रत्युवाचेदं स्निग्धगम्भीरया गिरा ॥१॥ 

ભીષ્મએ કહ્યું-હે દુર્યોધન,ત્યાર પછી,લોકોના ઈશ્વરના પણ ઈશ્વરે તે ભગવાને સ્નિગ્ધ અને ગંભીર વાણીથી બ્રહ્માને કહ્યું-

'હે તાત,તારા મનનું ઈચ્છીત મેં યોગબળથી જાણી લીધું હતું.તે તારું વાંછિત પૂર્ણ થશે' આમ કહી ભગવાન ત્યાં જ અંતર્ધાન થયા.પછી,ત્યાં રહેલા દેવો અનેરૂષિઓ ઘણા આતુર થઈને બ્રહ્માને પૂછવા લાગ્યા કે-'આપે કોને વિનયપૂર્વક પ્રણામ કર્યા?ને વરિષ્ઠ વાણીથી કોની સ્તુતિ કરી?તે અમે સાંભળવા ઇચ્છીએ છીએ'ત્યારે પિતામહ બ્રહ્મા તે સર્વને કહેવા લાગ્યા કે-

Oct 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-946

 

દુર્યોધને કહ્યું-હે પિતામહ,દ્રોણ,તમે,શલ્ય,કૃપ,અશ્વત્થામા,કૃતવર્મા,શલ્ય,સુદક્ષિણ,ભૂરિશ્રવા,વિકર્ણ,ભગદત્ત આદિ મહારથી તરીકે પ્રસિદ્ધ છો.તમે બધા ત્રણે લોકને પણ પુરા પડી શકો તેમ છો,છતાં પાંડવોની સામે પરાક્રમ કરવામાં કેમ ટકી શકતા નથી?આ બાબતમાં મને મોટી શંકા ઉત્પન્ન થઇ છે.પાંડવોમાં એવું શું રહેલું છે?કે તેઓ ક્ષણેક્ષણે જીતી જાય છે?'

Oct 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-945

 

અધ્યાય-૬૫-વિશ્વોપાખ્યાન 


॥ धृतराष्ट्र उवाच ॥ भयं मे अहमहजातं तस्मयश्चैव संजय I श्रुत्वा पांडुरमाणां कर्म दैवेः सुदुष्कर ॥१॥ 

ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,દેવોએ પણ કરવાને અશક્ય,એવું પાંડવોનું કર્મ સાંભળીને મને ઘણો જ ભય ને વિસ્મય થયું છે અને મારા પુત્રોનો પરાજય સાંભળીને 'હવે શું થશે?'તેની મને ચિંતા થયા કરે છે.અવશ્ય વિદુરનાં વાક્યો મારા હૃદયને બાળી નાખશે કારણકે દૈવયોગે બધું તેવું જ દેખાય છે.જ્યાં ભીષ્મ વગેરે શસ્ત્ર જાણનારા ઉત્તમ યોદ્ધાઓ છે,ત્યાં પણ પાંડવોના સૈન્યના યોદ્ધાઓ યુદ્ધમાં સંહાર કરી જાય છે.હે તાત,ક્યા કારણથી મહાબલિષ્ઠ પાંડવોનો નાશ થતો નથી?શું તેઓને કોઈએ વરદાન આપેલું છે?કે તેઓ કોઈ વિદ્યા જાણે છે? વારંવાર પાંડવો મારા સૈન્યને મારી નાખે છે તે મારાથી સહન થતું નથી ખરેખર,દૈવનો જ દારુણ દંડ મારા પર આવી પડ્યો છે.મારા પુત્રો માર્યા જાય છે તેનું ખરું કારણ મારી આગળ તમે કહી સંભળાવો.

મારા સર્વ પુત્રોનો ભીમ સંહાર કરી નાખશે એમાં મને લેશ પણ સંશય નથી.આ યુદ્ધમાં હું કોઈ એવો યોદ્ધો જોતો નથી કે જે મારા પુત્રોને બચાવે.હવે,મારુ સૈન્ય પાછું વળ્યું,પછી મારા પુત્રોએ શો નિશ્ચય કર્યો? તે કહી સંભળાવો.

Oct 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-944

 

પછી,ભીષ્મે સર્વ મહારથીઓને કહ્યું કે-'આ ભીમ,કૌરવોને અને મુખ્ય આગેવાનોને મારી નાખે છે માટે તેને પકડો'

ભીષ્મનાં વચનથી દુર્યોધનના સર્વ સૈનિકોએ ભીમ સામે ધસારો કર્યો.ભગદત્ત રાજા,પોતાના પ્રાગજ્યોતિષ નામના હાથી પર બેસી ધસી આવીને ભીમને બાણોથી આચ્છાદિત કરીને,તેને છાતી પર વીંધ્યો,કે જેથી ભીમ ફરીથી મૂર્છાવશ થયો.

પિતા ભીમને એવી દશામાં જોઈને,પુત્ર ઘટોત્કચ ત્યાં આવી પહોંચ્યો ને તેને દારુણ એવી માયા રચી.નિમેષકાળમાં તો તે ઐરાવણ હાથી પર દેખાયો અને તેની પાછળ દિગ્ગજ રાક્ષસો પણ હાથી પર દેખાયા.હાથીઓ ચારે દિશામાં સજ્જ થઈને ધસી આવ્યા અને ભગદત્તના હાથીને દંતશૂળોથી પીડવા લાગ્યા.ભગદત્તનો હાથી મોટી ચીસો પાડવા લાગ્યો.