Jun 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-834

Due to health reason-I can't post for one week (Up to June-9).Sorry.

અધ્યાય-૧૮૦-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II आत्मनस्तु ततः सुतो हयानां च विशांपते I मम चापनयामास शल्यान्कुलसंमतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,યુદ્ધ બંધ પડ્યા પછી,મારા સારથિએ મારા ને તેના પોતાના શરીરમાં પેસેલાં બાણોને કાઢી નાખ્યાં,ને ઘોડાઓને નવરાવીને બીજા દિવસ માટે તૈયાર કરી દીધા.બીજા દિવસે પરશુરામે બાણોનો વરસાદ કર્યો,કે જેને મેં રસ્તામાં જ કાપી નાખ્યા.પછી,તેમણે દિવ્યાસ્ત્રોનો પ્રયોગ કરવા માંડ્યો પણ તે અસ્ત્રોને પણ મેં અટકાવ્યા કેમકે ગુરુ કરતાં અધિક અસ્ત્રક્રિયા દર્શાવવાની મારી ઈચ્છા હતી.તે પછી,મેં વાયવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો કે જેનો તેમણે ગુહ્યકાસ્ત્રથી નાશ કર્યો.મારા આગન્યાસ્ત્રનું તેમણે વારુણાસ્ત્રથી વારણ કર્યું.

Jun 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-833

 

અધ્યાય-૧૭૯-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ 


II भीष्म उवाच II तमहं स्मयन्निव रणे प्रत्यभाषं व्यवस्थितम् I भूमिष्ठं नोत्सहे योद्धुं भवंतं रथमास्थितः II १ II

ભીષ્મે કહ્યું-પછી,રણભૂમિ પર સ્થિર થઈને ઉભા રહેલા પરશુરામને મેં કંઈક ગર્વિત વાણીથી કહ્યું કે-'રથમાં બેઠેલો હું,ભૂમિ પર ઉભા રહેલા એવા તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતો નથી,માટે હે રામ,તમે જો મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતા હો તો,શરીર પર બખ્તર ધારણ કરો ને રથમાં વિરાજો' તે સાંભળી પરશુરામ બોલ્યા કે-'હે ભીષ્મ,પૃથ્વી મારો રથ છે,વેદો મારા ઘોડાઓ છે,વાયુ મારો સારથિ છે અને વેદમાતાઓ (ગાયત્રી-સાવિત્રી-સરસ્વતી)મારુ બખ્તર છે.આમ કહીને તેમણે મને મોટા બાણસમૂહથી ચારે બાજુથી ઢાંકી દીધો.

May 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-832

 

ભીષ્મે કહ્યું-'હે બ્રહ્મન,આગળ એણે જ મને કહ્યું હતું કે તે શાલ્વ પર પ્રીતિવાળી છે,ને તેથી મેં તેને જવાની આજ્ઞા આપી હતી,ને તે શાલ્વ પ્રતિ ચાલી ગઈ,તેમાં મારો શો દોષ? હું ભયથી,દયાથી,ધનલોભથી અથવા કામનાથી ક્ષાત્રધર્મનો ત્યાગ નહિ કરું.'

પરશુરામે કહ્યું-'હે ભીષ્મ,તું મારા કહેવા પ્રમાણે નહિ કરે તો આજે હું અમાત્યો સહિત તારો નાશ કરીશ'

ભીષ્મે કહ્યું-'હે ભગવન,હું તમારા પ્રત્યે ગુરૂભાવને વિચારીને તમને પ્રાર્થના કરું છું-મેં એકવાર આ કન્યાનો ત્યાગ કર્યો છે એટલે તેને હું સ્વીકારીશ નહિ.હું સ્વધર્મનો ત્યાગ કરીશ નહિ.માટે તમે પ્રસન્ન થાઓ,ક્રોધ કરો કે તમારે જે કરવું હોય તે કરો.

May 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-831

 

અધ્યાય-૧૭૮-પરશુરામ ને ભીષ્મ યુદ્ધ કરવા કુરુક્ષેત્રમાં ગયા


II भीष्म उवाच II एवमुक्तस्तदा रामो जहि भीष्ममिति प्रभो I उवाच रुदतीं कन्यां चोदयंति पुनः पुनः II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,કન્યાએ એ પ્રમાણે કહ્યું અને તે 'ભીષ્મને મારો' એમ વારંવાર પરશુરામને પ્રેરણા કરીને રડવા લાગી ત્યારે રામે તેને કહ્યું કે-હે કાશીરાજની પુત્રી,હું બ્રહ્મવેત્તા બ્રાહ્મણોના કાર્ય વિના ને બ્રાહ્મણોની આજ્ઞા વિના,પોતાની ઈચ્છાથી શસ્ત્રો ગ્રહણ કરતો નથી.પણ,તે ભીષ્મ જરૂર મારી વાણીને અધીન થશે,ને હું તારું કામ કરી આપીશ.તે ભીષ્મ,મસ્તક વડે વંદન કરવા યોગ્ય છે છતાં મારી વાણીથી તારા બંને ચરણોમાં વંદન કરશે.

May 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-830

 

અધ્યાય-૧૭૭-અંબા અને પરશુરામનો સંવાદ 


II अकृतव्रण उवाच II दुःखद्रयमिहं भद्रे कतस्य चित्तर्षसि I प्रतिकर्तव्यमचसे तत्वं वत्से वदस्व मे II १ II

અકૃતવણે કહ્યું-હે કલ્યાણી,હમણાં તને બે દુઃખ છે,તેમાંથી તું કયા દુઃખનો ઉપાય ઈચ્છે છે તે તું મને કહે.જો શાલ્વ તારી સાથે લગ્ન કરે તેવી તારી ઈચ્છા હોય તો પરશુરામ તેને તેવી આજ્ઞા તેને કરશે અને જો ભીષ્મને રણમાં હારેલા જોવા ઇચ્છતી હશે તો પણ ભૃગુવંશી રામ તેમ કરે તેમ છે,માટે તેનો તારે આજે જ વિચાર કરવા યોગ્ય છે.

May 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-829

 

અધ્યાય-૧૭૬-હોત્રવાહન અને અંબાનો સંવાદ 


II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे कार्यवंतोभवंस्तदा I तां कन्यां चितयंतस्ते किं कार्यमिति धर्मिणः  II १ II

ભીષ્મે કહ્યું-તે પછી સર્વ ધર્મિષ્ઠ તપસ્વીઓ 'તે કન્યા માટે શું કરવું?' તેનો વિચાર કરવા લાગ્યા.કેટલાએકે કહ્યું-'એ કન્યાને એના બાપને ઘેર લઇ જાઓ' કેટલાએકે મને ઠપકો આપવાનો વિચાર જણાવ્યો.કેટલાએકે શાલ્વને સોંપી દેવાનું કહ્યું.આ પ્રમાણે મતભેદ થયો ત્યારે તપસ્વીઓએ ફરીથી અંબાને કહ્યું કે-'હે રાજપુત્રી તું સુકુમાર ને કુંવારી છે,તેથી આ સંન્યાસમાર્ગ દુઃખદાયક થશે.આ નિર્જન ગહન વનમાં તને એકલી જોઈને રાજાઓ તારી માગણી કરશે,માટે તું વનમાં રહેવાનો વિચાર માંડી વાળ.'

તેમ છતાં અંબા તેના તપ કરવાના નિશ્ચય પર અટલ રહી.