Apr 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-774

 

અધ્યાય-૧૧૨-ગરુડનો વેગ 


II गालव उवाच II गरुत्मन्म न्भुजगेन्द्रारे सुपर्ण विनतात्मज I नय मां ताक्षर्य पूर्वेण यत्र धर्मस्य चक्षुषी II १ II

ગાલવે કહ્યું-'હે ગરુડ,હે નાગેન્દ્રશત્રુ,હે સુંદર પીંછાવાળા વિનતાપુત્ર,જ્યાં ધર્મનાં બે ચક્ષુઓ છે ત્યાં પૂર્વ દિશામાં તમે મને લઇ જાઓ,તમે સર્વ પ્રથમ એ દિશાનું  વર્ણન કર્યું છે અને દેવતાઓનો નિવાસ પણ એ દિશામાં જ કહ્યો છે,અને ધર્મ તથા સત્યની સ્થિતિ પણ એ દિશામાં જ છે.હું એ દિશામાં રહેલા સર્વ દેવોનાં દર્શન અને તેમના સમાગમ કરવાની ઈચ્છા રાખું છું.'

આમ,કહી,ગરુડના કહેવાથી ગાલવ મુનિએ ગરુડના પર સવારી કરી,ને ગરુડ અતિવેગથી ઉડવા લાગ્યો ત્યારે તેને કહ્યું કે-

Mar 31, 2025

Durga-Sapt-Shati-Chandi-Path-Gujarati-Book-દુર્ગા-સપ્તશતી-Chandi-Path-ગુજરાતી


Okha-Haran-Gujarati Book-ઓખાહરણ

This book is for Archive and online reading only-not downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-773

 

અધ્યાય-૧૧૧-ઉત્તર દિશાનું વર્ણન 


II गरुड उवाच II यस्मादुत्तार्यते पापाद्यस्मान्निः श्रेय्सोश्नुते I अस्मादुत्तारणबलादुत्तरेत्युच्यते द्विज II १ II

ગરુડે કહ્યું-હે દ્વિજ,આ દિશા પુરુષને પાપમાંથી તારે છે ને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે,આ ઉદ્ધાર કરવાના સામર્થ્યને લીધે એ ઉત્તર દિશા કહેવાય છે.આ દિશા ઉત્તમ સુવર્ણની ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ દિશાની વચ્ચે જઈને જનારો સ્વર્ગમાર્ગ કહેવાય છે.

આ દિશામાં ક્રૂર,અવશ ચિત્તવાળા અને અધર્મી લોકોને સ્થાન મળતું નથી.આ દિશામાં બ્રહ્મા અને વિષ્ણુ બદરિકાશ્રમમાં વાસ કરે છે.આદિપુરુષ મહાદેવ પણ પ્રકૃતિરૂપ પાર્વતીની સાથે આ દિશામાં જ હિમાલયની સપાટી ઉપર નિત્ય નિવાસ કરે છે.તે મહાદેવને નરનારાયણ સિવાય બીજા મુનિગણો,ઇન્દ્રસહિત દેવો,ગંધર્વો કે સિદ્ધો પણ જોઈ શકતા નથી.(6)

Mar 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-772

 

અધ્યાય-૧૦૯-દક્ષિણ દિશાનું વર્ણન 


II गरुड उवाच II इयं विवस्वता पूर्व श्रोतेन विधिना किल I गुरवे दक्षिणा दत्ता दक्षिनेत्युच्यते च दिक् II १ II

ગરુડે કહ્યું-પૂર્વે,સૂર્યે વેદોક્ત વિધિથી આ દિશા કશ્યપ ગુરુને ગુરુદક્ષિણામાં આપી હતી તેથી આ દિશા દક્ષિણ કહેવાય છે.

ત્રણલોકના પિતૃગણો આ દિશામાં રહે છે.ઉષ્ણ અન્નનું ભોજન કરનારા ઉષ્મપ દેવોનો નિવાસ અહીં છે.અહીં વિશ્વદેવા દેવો પિતૃઓની સાથે રહે છે.આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહેવામાં આવે છે અને અહીં ત્રુટિ તથા લય પર્યંત સૂક્ષ્મ કાળનો નિશ્ચય કરવામાં આવે છે.આ દિશામાં દેવર્ષિઓ,પિતૃલોકના ઋષિ અને સર્વ રાજર્ષિઓ સુખથી નિવાસ કરે છે,

Mar 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-771

 

અધ્યાય-૧૦૭-ગાલવનો શોક 


II नारद उवाच II एवमुक्तस्तदा तेन विश्वामित्रेण धीमता I नास्ते न शेते नाहारं कुरुते गालवस्तदा II १ II

નારદે કહ્યું-બુદ્ધિમાન વિશ્વામિત્રે એ પ્રમાણે કહ્યું તે વખતથી ગાલવ,નિશ્ચિન્તપણાથી સૂતો નહોતો કે આહાર પણ કરતો નહતો.તેનું શરીર માત્ર હાડકાં -ચામડાંરૂપે જ બાકી રહ્યું.તે દુઃખને વિલાપ કરતો કે-મારે ધનાઢ્ય મિત્રો નથી અને મારી પાસે ધન પણ નથી તો આવા આઠસો ઘોડા ક્યાંથી મળે? મારી જીવવાની શ્રદ્ધા પણ હવે નાશ પામી છે અને મારે જીવનનું શું પ્રયોજન છે? હું ગુરુની પાસેથી પોતાનું કાર્ય સાધી લઈને હવે તેમનું કહેલું કાર્ય કરતો નથી તેથી હું,પાપી,કૃતઘ્ન,કૃપણ,તથા જુઠ્ઠો ઠર્યો છું.માટે હું અતિ પ્રયત્ન કરીને પ્રાણોનો ત્યાગ કરીશ.મેં આજ સુધી કોઈ વખતે પણ દેવોની પાસે કોઈ યાચના કરી નથી,તેથી દેવો મને યજ્ઞ ચાલતો હોય ત્યારે માન આપે છે,માટે તેઓની પાસે યાચના કરવી ઠીક નથી.પણ કદી હું હવે દેવ શ્રેષ્ઠ વિષ્ણુને શરણે જાઉં,કે જેમનાથી સર્વ દેવ તથા દૈત્યોને પહોંચી વળે તેટલા વૈભવો ઉત્પન્ન થાય છે.