Mar 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-767

 

અધ્યાય-૧૦૧-ગરુડલોકનું વર્ણન 


II नारद उवाच II अयं लोकः सुवर्णानां पक्षिणां परगासिनाम् I विक्रमे गमने भरे नैनाभास्त परिश्रमः II १ II

નારદે કહ્યું-હે માતલિ,આ સર્પોનું ભક્ષણ કરનારા ગરુડ પક્ષીઓનો લોક છે.એ પક્ષીઓને પરાક્રમ કરવામાં,ગતિમાં અને ભાર ઉપાડવામાં પરિશ્રમ લાગતો નથી.કશ્યપપત્ની,વિનતાના વંશને વધારનારા,ગરુડના,સુમુખ,સુનામા,સુનેત્ર,સુવર્ચા,સુરચ,અને સુબલ-એ છ પુત્રોએ પોતાની સંતતિ વડે આ કુળ વધારી દીધું છે.કશ્યપના વંશમાં ઉત્પન્ન થયેલાં અને ઐશ્વર્યની વૃદ્ધિ કરનારાં ગરુડ પક્ષીઓનાં સેંકડો અને હજારો કુળો ઉદય પામ્યાં  છે,એ સર્વે શ્રીમાન,શ્રીવત્સનાં ચિહ્નનવાળાં છે ને સર્વે લક્ષ્મીની ઈચ્છા રાખી મહાબળ ધારણ કરે છે.તે કર્મવડે ક્ષત્રિયો છે,નિર્દય છે,સર્પોનું ભોજન કરે છે,અને તે જ્ઞાતિનો ક્ષય કરનારા હોવાથી બ્રાહ્મણપણાને પામતા નથી(6)

Mar 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-766

 

અધ્યાય-૧૦૦-હિરણ્યપુરનું વર્ણન 


II नारद उवाच II हिरण्यपुरमित्येतत् ख्यातं पुरवरं महत् I दैत्यानां दानवानां च मायाशतविचारिणां II १ II

નારદે કહ્યું-સેંકડો માયા સાથે સંચાર કરનારા દૈત્યો અને દાનવોનું આ હિરણ્યપુર નામથી પ્રખ્યાત મહાશ્રેષ્ઠ નગર છે.

પાતાળ તળમાં આવેલા એ નગરની પ્રથમ મયદાનવે મનથી જ કલ્પના કરી અને તે પછી વિશ્વકર્માએ તેની રચના કરી છે.એ નગરમાં પૂર્વે વરદાનો મેળવનારા,મોટા બળવાન અને હજારો માયા કરનારા શૂરા દાનવો નિવાસ કરે છે.ઇન્દ્ર,યમ,વરુણ,કુબેર તથા બીજાઓ એ દાનવોને વશ કરી શકતા નથી.એ નગરમાં કાલખંજ અસુરો,વિષ્ણુના ચરણથી ઉત્પન્ન થયેલા અસુરો,નૈઋતો,

યાતુધાનો,અને બ્રહ્માના ચરણથી ઉત્પન્ન થયેલા અસુરો,કે જેઓ મોટી દાઢવાળા,ભયંકર વેગવાળા,માયાબળથી સંપન્ન છે,તેઓ 

નિવાસ કરે છે.વળી,યુદ્ધ કરવામાં દુષ્ટ,નિવાતકવચ નામના દાનવો પણ અહીં જ રહે છે.એ દાનવોથી તું,તારો પુત્ર ગોમુખ તથા પુત્રસહિત ઇન્દ્ર પણ ઘણી વખત નાસી છૂટયા છો,એ તું જાણે જ છે (8)

Mar 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-765

 

અધ્યાય-૯૯-પાતાળનું વર્ણન 


II नारद उवाच II एतत्तु नागलोकस्य नाभिस्थाने स्थितं पुरम् I पातालमिति विख्यातं दैत्यदानवसेवितम् II १ II

નારદે કહ્યું-આ નાગલોકની વચ્ચે આવેલું,પાતાળ નામનું નગર છે જેમાં દૈત્યો ને દાનવો નિવાસ કરે છે.પૃથ્વી પરનાં જે કોઈ જંગમ પ્રાણી,પાણીના તરંગ સાથે અહીં પેસી જાય છે,તેઓ ભયથી પીડાઈને દુઃખના મોટા પોકારો કરે છે.અહીં જળનો આહાર કરનારો આસુરાગ્નિ સતત બળ્યા કરે છે,કે જેને દેવોએ પ્રયત્નપૂર્વક મર્યાદામાં રાખ્યો છે,નહિ તો તે તત્કાળ આખા સમુદ્રને તથા લોકોને બાળી નાખે.'પોતાને બાંધી દીધો છે' એ વાત અગ્નિ પોતે પણ જાણે છે.દેવોએ શત્રુઓને માર્યા પછી અમૃત પીને બાકી રહેલું અમૃત અહીં મૂક્યું છે,ને એ કારણથી અહીં ચંદ્રની ક્ષય-વૃદ્ધિ જોવામાં આવતી નથી.(4)

Mar 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-764

 

અધ્યાય-૯૮-માતલિએ કરેલી વરની શોધ (ચાલુ)


II कण्व उवाच II मातलिस्तु व्रजन्मार्गे नारदेन महर्षिणा I वरुणं गच्छता द्रष्टुं सभागच्छद्यदच्छया II १ II

કણ્વ બોલ્યા-માતલિ જતો હતો,તે વખતે માર્ગમાં,વરુણને મળવા જતા મહર્ષિ નારદની સાથે તેનો દૈવેચ્છાથી મેળાપ થયો.

નારદે તેને પૂછ્યું-'હે સૂત,તું ક્યાં જવા નીકળ્યો છે?તું પોતાના કાર્ય માટે જાય છે કે ઇન્દ્રની આજ્ઞાથી જાય છે?'

ત્યારે માતલિએ,નારદને પોતાની ઈચ્છા કહી,એટલે નારદે કહ્યું-હું પણ વરુણનાં દર્શનથી ઈચ્છાથી નીકળ્યો છું,આપણે બંને ત્યાં સાથે જ જઈએ,હું તને પૃથ્વીનું તળિયું દેખાડીને ત્યાંની સર્વ હકીકત કહીશ.ત્યાં કોઈ યોગ્ય વરને આપણે બંને પસંદ કરીશું (5)

Mar 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-763

 

અધ્યાય-૯૭-માતલિએ કરેલી વરની શોધ 


II वैशंपायन उवाच II जामदग्न्यवचः श्रुत्वा कण्वोपी भगवानुषि:I दुर्योधनमिदं वाक्यमब्रवित्कुरुसंसदि II १ II

વૈશંપાયને કહ્યું-પરશુરામનાં વચન સાંભળીને ભગવાન કણ્વ ઋષિ પણ કૌરવોની સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-

'આ લોકના પિતામહ બ્રહ્મા જેમ,અક્ષય ને અવિનાશી છે,તેમ,ભગવાન નરનારાયણ ઋષિ પણ અક્ષય અને અવિનાશી છે.અદિતિના સર્વ પુત્રોમાં એકલા વિષ્ણુ જ સનાતન,અજિત,અવિનાશી,શાશ્વત,પ્રભુ અને ઈશ્વર છે.તે સિવાય બીજા ચંદ્ર,સૂર્ય,પૃથ્વી,જળ,વાયુ,અગ્નિ,આકાશ,ગ્રહો,તારાગણો-એ સર્વ નિમિત્ત વડે નાશ પામનારાં છે.તે સર્વ સર્વદા જગતનો ક્ષય થતાં જ,ત્રણ લોકનો ત્યાગ કરીને નાશ પામે છે અને ઉત્પત્તિ થતાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે.(5)

Mar 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-762

 

અધ્યાય-૯૬-દંભોદભવનું આખ્યાન 


II वैशंपायन उवाच II तस्मिन्नभिहिते वाक्ये केशवेन महात्मना I स्तिमिता हृष्टरोमाण आसन्सर्वे सभासदः II १ II

વૈશંપાયને કહ્યું-મહાત્મા કેશવે,એ પ્રમાણે વચનો કહ્યાં,તે વખતે સર્વ સભાસદો રોમાંચિત થઈને સ્તબ્ધ થઇ ગયા,અને 'કોઈ પણ પુરુષ એ વચનોનો ઉત્તર આપવા કેમ ઉત્સાહ ધરાવતો નથી?' એમ સર્વ રાજાઓ મનમાં જ વિચારવા લાગ્યા.ત્યારે તે કૌરવોની સભામાં પરશુરામ કહેવા લાગ્યા કે-'હે ધૃતરાષ્ટ્ર રાજા,તું મારી આ દૃષ્ટાંતવળી સત્ય વાણીને નિઃશંક થઈને સાંભળ,ને તે સાંભળીને તને ઠીક લાગે તો તું તારા કલ્યાણ માટે ગ્રહણ કર.(4)