અધ્યાય-૧૦૧-ગરુડલોકનું વર્ણન
II नारद उवाच II अयं लोकः सुवर्णानां पक्षिणां परगासिनाम् I विक्रमे गमने भरे नैनाभास्त परिश्रमः II १ II
નારદે કહ્યું-હે માતલિ,આ સર્પોનું ભક્ષણ કરનારા ગરુડ પક્ષીઓનો લોક છે.એ પક્ષીઓને પરાક્રમ કરવામાં,ગતિમાં અને ભાર ઉપાડવામાં પરિશ્રમ લાગતો નથી.કશ્યપપત્ની,વિનતાના વંશને વધારનારા,ગરુડના,સુમુખ,સુનામા,સુનેત્ર,સુવર્ચા,સુરચ,અને સુબલ-એ છ પુત્રોએ પોતાની સંતતિ વડે આ કુળ વધારી દીધું છે.કશ્યપના વંશમાં ઉત્પન્ન થયેલાં અને ઐશ્વર્યની વૃદ્ધિ કરનારાં ગરુડ પક્ષીઓનાં સેંકડો અને હજારો કુળો ઉદય પામ્યાં છે,એ સર્વે શ્રીમાન,શ્રીવત્સનાં ચિહ્નનવાળાં છે ને સર્વે લક્ષ્મીની ઈચ્છા રાખી મહાબળ ધારણ કરે છે.તે કર્મવડે ક્ષત્રિયો છે,નિર્દય છે,સર્પોનું ભોજન કરે છે,અને તે જ્ઞાતિનો ક્ષય કરનારા હોવાથી બ્રાહ્મણપણાને પામતા નથી(6)