અધ્યાય-૬૮-વિશ્વોપાખ્યાન-કેશવ સ્તવન
॥ भीष्म उवाच ॥ शृणु चेदं महाराज ब्रह्मभूतं स्तवं मम I ब्रह्मर्षिमिश्च वेदैश्च यः पुराकणितो भुवि ॥१॥
ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,એ વાસુદેવની 'બ્રહ્મરૂપ સ્તુતિ' મારી પાસેથી તું સાંભળ.પૂર્વના સમયમાં બ્રહ્મર્ષિઓ અને દેવોએ પૃથ્વી પર આ પ્રમાણે સ્તુતિ કરી હતી.'હે લોકોને ઉત્પન્ન કરનાર,હે ભાવને જાણનાર,તમે સાધ્યદેવોના અને બીજા સર્વ દેવોના પણ દેવ છો અને ઈશ્વર છો'-એમ નારદે કહેલું છે.'તમે ભૂત-ભવિષ્ય અને વર્તમાન સ્વરૂપ છો'-એમ માર્કંડેયે કહેલું છે.
'તમે યજ્ઞના પણ યજ્ઞ છો,તપના પણ તપ છો દેવના પણ દેવ છો'-એમ ભૃગુઋષિ કહે છે.