Sep 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-933

 

અધ્યાય-૫૭-ત્રીજો દિવસ-પ્રાતઃકાળનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ ततो व्युढेष्वनिकेषु तावकेषु परेषु च I धनन्जयो रथानिकमवधीत्तवभारत ॥१॥ 

સંજયે કહ્યું-હે ભારત,ઉપર પ્રમાણે જયારે બંને પક્ષોના સૈન્યની રચના થઇ ગઈ,ને યુદ્ધ શરુ  થયું ત્યારે અર્જુને તમારા રથીઓનાં સૈન્યને હણવા માંડ્યું.કૌરવો પણ 'મરણ થાય તો પણ પાછા હટવું નહિ'એવો દૃઢ નિશ્ચય કરીને પાંડવો સામે લડવા લાગ્યા ને એકચિત્ત થઈને તેમણે પાંડવોની સેના સામે ધસારો કર્યો ને તેમની સેનામાં ભંગાણ પાડ્યું.પૃથ્વીની રજ એટલી ઊડતી હતી કે તે સૂર્યને પણ ઢાંકી દેતી હતી,દિશાઓ પણ ઓળખાતી નહોતી યોદ્ધાઓ માત્ર ધ્વજ વગેરેના ચિહનથી ને સંકેત ઉપરથી લડી રહ્યા હતા.તેમ છતાં દ્રોણાચાર્યથી રક્ષાયેલો કૌરવોનો વ્યુહ અને ભીમથી રક્ષાયેલો પાંડવોનો વ્યૂહ તૂટી શક્યો નહિ.

Sep 22, 2025

Durga-Sapt-Shati-Chandi-Path-Gujarati-Book-દુર્ગા-સપ્તશતી-Chandi-Path-ગુજરાતી


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-932

 

અધ્યાય-૫૬-ત્રીજો દિવસ-ગરુડ વ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ 


॥ संजय उवाच ॥ प्रभातायां च शर्वर्या भीष्मः शान्तनवस्तदा I अनीकान्यनुसंयाने व्यादिदेशाय भारत ॥१॥ 

સંજયે કહ્યું-હે ભારત,જયારે રાત્રી વીતી ગઈ ને સવાર થયું,ત્યારે શાન્તનુકુમાર ભીષ્મે,સર્વ સૈન્યને યુદ્ધને માટે તૈયાર થવાની આજ્ઞા આપી.ભીષ્મે તમારા પુત્રોનો જય થાય તેવું ઇચ્છીને તે દિવસે ગરુડ નામના મોટા વ્યુહની રચના કરી.જેના મુખના સ્થાનમાં તે પોતે જ રહ્યા અને ચક્ષુના સ્થાનમાં દ્રોણાચાર્ય ને કૃતવર્મા રહ્યા.ત્રિગર્ત દેશના,કૈકેય દેશના અને વાટઘાનના યોદ્ધાઓની સાથે અશ્વત્થામા અને કૃપાચાર્ય તેના શિરસ્થાનમાં રહ્યા.ભૂરિશ્રવા,શલ,શલ્ય,ભગદત્ત અને જયદ્રથ એ બધા રાજાઓ એ વ્યુહની ગ્રીવાના સ્થાનમાં રહ્યા.

Sep 21, 2025

Devi-Bhagvat-Gujarati Book-દેવી ભાગવત

This book is for Archive and online reading only-not downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-931

 

અધ્યાય-૫૫-અભિમન્યુ સામે લક્ષ્મણ-બીજો દિવસ પૂર્ણ 


॥ संजय उवाच ॥ गतगर्वाह्नभूयिष्ठे तस्मिन्नहनि भारत I रथनगाश्चपत्तीनां सानिनांच महाक्षये ॥१॥ 

સંજયે કહ્યું-તે દિવસનો પૂર્વભાગ લગભગ ચાલ્યો ગયો અને રથો,હાથીઓ,ઘોડાઓ,પાળાઓ અને ઘોડેસ્વારોનો મોટો સંહાર થઇ ગયો.પછી,અશ્વત્થામા,શલ્ય અને કૃપાચાર્ય સામે ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધ કરવા માટે તૈયાર થયો.ધૃષ્ટદ્યુમ્ને દશ બાણો મારીને અશ્વત્થામાના રથના ઘોડાઓનો નાશ કર્યો એટલે તે એકદમ શલ્યના રથ પર બેસી ગયો.અને ધૃષ્ટદ્યુમ્ન પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો.તેટલામાં તો તીક્ષ્ણ બાણો છોડતો અભિમન્યુ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પચીસ પણોથી શલ્યને,નવ બાણોથી કૃપાચાર્યને અને અઠાવીશ બાણોથી અશ્વત્થામાને વીંધી નાખ્યા.તે સામે તેમણે પણ અભિમન્યુને વીંધ્યો.