Feb 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-736

Because of some reason, no new post from feb-8 to feb-21.sorry. 

 

અધ્યાય-૭૦-હેતુવાળાં શ્રીકૃષ્ણનાં નામો 


 II धृतराष्ट्र उवाच II भूयो मे पुंडरिकाक्षं संजयाचक्ष्व पृच्छतः I नामकर्मावित्तात प्राप्यां पुरुषोत्तमं II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું તને પ્રશ્ન કરું છું માટે ફરી તું કમળનયન શ્રીકૃષ્ણ સંબંધી કથા કહે,

જે પુરુષોત્તમનાં નામો તથા કર્મોનો અર્થ જાણીને હું તેમને પ્રાપ્ત થાઉં.

સંજયે કહ્યું-મેં શ્રીકૃષ્ણનાં નામોનો શુભ અર્થ સાંભળ્યો છે,તેમાં હું જેટલું જાણું છું તેટલું તમને કહીશ.કારણકે શ્રીકૃષ્ણ વાણીના અવિષય છે.એ શ્રીકૃષ્ણ માયા વડે આવરણ કરે છે તેથી જગત એમનામાં વાસ કરે છે તેથી અને પ્રકાશમાન હોવાથી 'વાસુદેવ' કહેવાય છે.(અથવા દેવો એમનામાં વાસ કરે છે તેથી તે વાસુદેવ કહેવાય છે)સર્વવ્યાપક હોવાથી તે 'વિષ્ણુ' કહેવાય છે.

'મા'એટલે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિવૃત્તિ,કે જે મૌન,ધ્યાન તથા યોગથી દૂર થાય છે તેથી તેમનું નામ 'માધવ' છે.

Feb 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-735

 

અધ્યાય-૬૯-શ્રીકૃષ્ણનું માહાત્મ્ય (ચાલુ)


II धृतराष्ट्र उवाच II कथं त्वं माधवं वेत्थ सर्वलोकमहेश्वरम् I कथमेनं न वेदाहं तन्ममाचक्ष्व संजय II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,શ્રીકૃષ્ણ સર્વ લોકના મહેશ્વર છે,એ તું શાથી જાણે છે?અને એને હું કેમ જાણતો નથી? તે કહે.

સંજય બોલ્યો-હે રાજા,તમને જ્ઞાન નથી ને મારુ જ્ઞાન નાશ પામતું નથી.જે પુરુષ જ્ઞાનથી રહિત છે તથા અજ્ઞાનને લીધે સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો છે તે શ્રીકૃષ્ણને ઓળખતો નથી.હું જ્ઞાનના સામર્થ્યથી શ્રીકૃષ્ણને જાણું છું કે-તે અધિષ્ઠાનરૂપ હોવાથી સ્થૂળ,સૂક્ષ્મ તથા કારણ શરીર સાથે,દોરીમાં દેખાતા સર્પની જેમ સંબંધવાળા છે.તે વિશ્વના નિમિત્તકારણ છે,કર્મ વડે અસાધ્ય છે અને પંચમહાભૂતના ઉત્પત્તિ ને લયના સ્થાનરૂપ છે (3)

Feb 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-734

 

અધ્યાય-૬૮-સંજયે કહેલું કૃષ્ણનું માહાત્મ્ય 


 II संजय उवाच II अर्जुनो वासुदेवश्च धन्विनौ पर्मरचितौ I कामादन्यत्र संभूतौ सर्वभावाय संमितौ II १ II

સંજયે કહ્યું-ધનુર્ધારી અર્જુન અને પરમપૂજ્ય વાસુદેવ એ બંને બ્રહ્મભાવમાં સમાન છે.તેઓનો જન્મ કર્મને લીધે નથી,પણ લોકોના અનુગ્રહને માટે જ સૂર્યની જેમ તેઓ પ્રગટ થયા છે.વાસુદેવનું સુદર્શન ચક્ર,મધ્યમાં પાંચ હાથ પહોળું છે,પણ શ્રીકૃષ્ણ તેને જેટલા પ્રમાણવાળું થવાની ધારણા કરીને છોડે છે તેટલા પ્રમાણમાં તે પહોળું થઈને જાય છે.તેજવાળું તે ચક્ર કોઈનું પણ સારાસારનું બળ જાણવા માટે નિર્માયું છે ને તે પાંડવોનું માનીતું છે ને કૌરવોનો સંહાર વાળનારું છે.મહાબળવાન શ્રીકૃષ્ણે ભયંકર જણાતા નરકાસુર,શમ્બરાસુર,કંસ અને શિશુપાલને રમતાં રમતાં જીતી લીધા હતા.ઐશ્વર્યસંપન્ન તથા શ્રેષ્ઠ રૂપવાળા પુરુષોત્તમ,માત્ર મનના સંકલ્પથી જ પૃથ્વી,અંતરિક્ષને ને સ્વર્ગને કબ્જે કરીલે તેવા છે.(5)

Feb 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-733

 

અધ્યાય-૬૭-વ્યાસ તથા ગાંધારીનું આગમન 


II वैशंपायन उवाच II दुर्योधने धार्तराष्ट्रे तद्वचो नाभिनन्दति I तुष्णिभूतेषु सर्वेषु समुत्तस्यर्नरर्षभा :II १ II

વૈશંપાયને કહ્યું-ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને,જયારે તે વચનને અભિનંદન આપ્યું નહિ અને સર્વે મૌન ધારણ કરી રહ્યા,

ત્યારે સર્વ અને બીજા રાજાઓ ત્યાંથી ઉઠીને ચાલી નીકળ્યા.તેઓના ગયા પછી એકાંત થતાં ધૃતરાષ્ટ્ર રાજાએ,

સંજયને,પોતાનો,તટસ્થ રાજાઓનો અને પાંડવોનો નિશ્ચય પૂછવાનો આરંભ કર્યો.

Feb 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-732

 

અધ્યાય-૬૬-અર્જુનનો સંદેશો 


II वैशंपायन उवाच II एवमुक्त्वा महाप्राज्ञो धृतराष्ट्रः सुयोधनम् I पुनरेव महाभाग: संजयं पर्यप्रुच्छत II १ II

વૈશંપાયને કહ્યું-મહાબુદ્ધિમાન ને મહાભાગ્યશાળી ધૃતરાષ્ટ્ર,દુર્યોધનને એ પ્રમાણે કહ્યા પછી ફરી સંજયને પૂછવા લાગ્યા કે-હે સંજય,હવે જે બાકી હોય તે અને શ્રીકૃષ્ણ બોલી રહ્યા પછી અર્જુને તને જે કહ્યું હોય તે તું મને કહે,મને કૌતુક થાય છે.

સંજયે કહ્યું-વાસુદેવના સાંભળતા જ અર્જુને મને કહ્યું કે-હે સંજય,ભીષ્મ પિતામહ,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,કૃપ,કર્ણ,બાલહિક,

અશ્વસ્થામા,સોમદત્ત,શકુનિ,દુઃશાસન આદિ અને જે રાજાઓ કૌરવોનું પ્રિય કરવા આવ્યા હોય તેઓને તું મારાં વચનથી યથાયોગ્ય રીતે વંદન ને કુશળ પુછજે.અને રાજાઓની વચ્ચે,તે ક્રોધી,દુર્બુધ્ધિ,પાપાત્મા,મહાલોભી અને પાપીઓનું આશ્રયસ્થાન એવા રાજપુત્ર દુર્યોધનને તથા તેના મંત્રીઓને મારાં આ વચન સંભળાવજે.(10)

Feb 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-731

 

અધ્યાય-૬૫-ધૃતરાષ્ટ્રનો દુર્યોધનને ઉપદેશ 


II धृतराष्ट्र उवाच II दुर्योधन विजानीहि यत्वां वक्ष्यामि पुत्रक I उत्पथं मन्यसे मार्गमनभिज्ञ इवाध्वग II १ II

 ધૃતરાષ્ટ્રે કહ્યું-હે પુત્ર દુર્યોધન,હું તને જે કહું છું તે તું ધ્યાનમાં લે.જેમ,અજાણ્યો વટેમાર્ગુ અવળા રસ્તાને રસ્તો માની લે છે,તેમ,તું પણ અવળા માર્ગને માર્ગ માને છે.તું જે પાંચ પાંડવોના તેજને હરવાની ઈચ્છા રાખે છે,તે લોકોને ધારણ કરનારા પંચમહાભુતોના તેજને હરણ કરવા જેવી વાત છે.પરમ ધર્મને સેવનારા યુધિષ્ઠિરને તો તું મૃત્યુ પામ્યા વિના આ લોકમાં જીતી શકીશ નહિ.રણભૂમિમાં કાળ જેવા ભીમનો તું તિરસ્કાર કરે છે,એ જેમ,એકાદ ઝાડ પવનનો તિરસ્કાર કરે તેના જેવું જ છે.