Oct 17, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-4-Adhyaya-2

અધ્યાય-૨ -૩
હવે પછીના આ ગીતાના અગિયારમા શ્લોકને ગીતાનું બીજ પણ કહે છે.
ભવિષ્યમાં ફરીથી ગીતા વાંચવાની શરૂઆત અહીંથી પણ કરી શકાય.???
જે આગળ જોઈ- એ વાત-ગીતા કયા સંજોગોમાં અને ક્યારે કહેવામાં આવી તેની પ્રસ્તાવના છે.તે જમાનાનેને અનુરૂપ યુદ્ધનો પ્રસંગ બતાવ્યો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-649

 

અધ્યાય-૧૨-કામમોહિત નહુષ પાસે ઈન્દ્રાણી 


II शल्य उवाच II क्रुद्धं तु नहुष द्रष्ट्वा देव ऋषिपुरोगमाः I अब्रुवन्देवराजा नहुषं घोरदर्शनम् II १ II

શલ્યે કહ્યું-નહુષને કોપેલો જોઈને દેવો તેને કહેવા લાગ્યા કે-'હે પ્રભો,તમારા કોપવાથી આ જગત ત્રાસ પામે છે,તમે આ કોપનો ત્યાગ કરો.દેવી ઈન્દ્રાણી પારકાની પત્ની છે માટે તમે કૃપા કરો અને પરસ્ત્રીસેવનરૂપી પાપથી તમારા મનને પાછું વાળો.તમારું કલ્યાણ થાઓ,તમે દેવતાઓના રાજા છો માટે ધર્મથી પ્રજાપાલન કરો.'

Oct 16, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-3-Adhyaya-2

અધ્યાય-૨ -૨ (સાંખ્ય યોગ)
અર્જુન અતિ બળવાન યોદ્ધો છે. મહાભારત\ના યુદ્ધમાં તેના પર મોટી જવાબદારી છે.
પણ હજુ યુદ્ધ શરુ પણ નથી થયું અને અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે.
એવું કદીયે બન્યું નથી –કે-અંધકારે –સૂર્યને ગળ્યો હોય, દેડકાએ –અજગરને ગળ્યો હોય કે 
શિયાળે –સિંહની સામે ટક્કર લીધી હોય.પણ આજે કંઈક એવું બન્યું છે.અશક્ય લાગતી વસ્તુ શક્ય બની છે.
ઘણાં બધાં યુદ્ધો કરીને અપરાજિત રહેનાર એક શુરવીર યોદ્ધા –અર્જુન-“મોહ” ને કારણે “દયા” થી
ભરપૂર થઇ એક નામર્દની જેમ યુદ્ધ કરવાનો ઇન્કાર કરી ઢીલો થઇ બેસી ગયો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-648

 

અધ્યાય-૧૧-નહુષને ઇન્દ્ર કર્યો 


II शल्य उवाच II ऋषयोथाब्रुवनसर्वे देवाश्व त्रिदशेश्वरा: I अयं वै नहुषः श्रीमान देवराज्ये भिपिच्यताम् II १ II

શલ્યે કહ્યું-પછી,સ્વર્ગાધિપતિ સર્વ દેવો તથા ઋષિઓ બોલ્યા કે -શ્રીમાન નહુષ રાજાનો આ દેવરાજય ઉપર અભિષેક કરો.એ તેજસ્વી અને ધાર્મિક છે' આમ કહી તેઓ નહુષ પાસે જઈને તેમની ઈચ્છા પ્રગટ કરી ત્યારે નહુષે કહ્યું કે-હું દુર્બળ છું,આપનું રક્ષણ કરવાની મારામાં શક્તિ નથી બળવાન હોય તે જ ઇન્દ્ર થઇ શકે છે'

દેવો અને ઋષિઓએ કહ્યું કે-'તમે અમારાં તપોબળથી યુક્ત થઈને સ્વર્ગના રાજ્યનું રક્ષણ કરો'

Oct 15, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-2-Adhyaya-2

આકાશમાં આવેલ છૂટાં છૂટાં વાદળો જયારે ભેગાં થાય છે
ત્યારે તેનામાં “શક્તિ” આવે છે.અને વરસાદ બને છે.
કોઈ એકલા-અટુલા  વાદળમાં વરસાદ બનાવવાની શક્તિ નથી.
પણ જો આ ભેગાં થયેલ વાદળ ફરીથી જો વધારે શક્તિશાળી પવનથી વિખરાઈ જાય 
તો વાદળની શક્તિ ઓછી થઇ જાય છે.વરસાદ બનાવી શકતાં નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-647

 

અધ્યાય-૧૦-વૃત્રનો વધ 


II इन्द्र उवाच II सर्व व्याप्तमिदं देवा वृत्रेण जगदव्यः I न ह्यस्य सदशं किंचित्प्रतिघाताय यद्भवेत् II १ II

ઇન્દ્ર બોલ્યો-હે દેવો,વૃત્રાસુરે આ શાશ્વત આખું જગત ઘેરી લીધું છે અને એનો નાશ કરે તેવું કંઈ જ નથી.

પહેલાં હું સમર્થ હતો પણ હમણાં હું અસમર્થ થઇ ગયો છું.હવે મારે તમારું કલ્યાણ કેવી રીતે કરવું?

મને તો તે ન જીતી શકાય તેવો જ લાગે છે.માટે આપણે સહુ સાથે મળીને વિષ્ણુના સ્થાનમાં જઈને 

તેમની સાથે વિચાર કરીને વૃત્રના વધનો ઉપાય જાણીએ.