અધ્યાય-૧૯૩-ભીષ્મ વગેરેની શક્તિનું વર્ણન
II संजय उवाच II प्रभातायां तु शर्वर्यां पुनरेव सुतस्तव I मध्ये सर्वस्य सैन्यस्य पितामहमप्रुच्छत II १ II
સંજયે કહ્યું-હે ધૃતરાષ્ટ્ર,તે રાત્રિ વીતીને પ્રભાત થતાં જ દુર્યોધને સર્વ સૈન્યની વચ્ચે ભીષ્મપિતામહને પૂછ્યું કે-
'હે ગંગાપુત્ર,યુધિષ્ઠિરનું આ સૈન્ય કે જે અનેક મહારથીઓથી સજ્જ છે ને ખાળી ન શકાય તેવા આ સૈન્યનો તમે કેટલા દિવસે નાશ કરી શકશો? વળી આપણી સેનાના દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા આદિમાંનો એક એક જણ કેટલે દિવસે પાંડવોની સેનાનો ક્ષય કરી શકશે? આ જાણવાની મારા મનમાં ઈચ્છા છે તો તે તમારે મને કહેવું જોઈએ.'